બીબીસી ગુજરાતીના લેખો તમે ચૂકી તો નથી ગયા ને

ઇમેજ સ્રોત, ELOISE ALANNA / BBC
અપસ્ટેટ ન્યૂ યોર્કના અંતરિયાળ ગ્રામીણ હાઇવેના છેડે આવેલી બિનસત્તાવાર સરહદ પરથી ગયા વર્ષે લગભગ 40 હજાર લોકો કૅનેડામાં આશ્રય લેવા માટે પ્રવેશ્યા હતા.
આ સંખ્યા વિક્રમસર્જક છે. ઘણાએ આ પગલું એવું માનીને ભર્યું હતું કે કૅનેડા તેમને અમેરિકા કરતાં વધુ સારો આવકાર આપશે, પરંતુ કૅનેડા આ ધસારા સાથે સારી રીતે કામ પાર પાડી શકશે કે કેમ એ સવાલ છે.
શિયાળાના દિવસે રોક્સહામ રોડ ઠંડોગાર અને શાંત હતો. રસ્તાના છેડેથી આવતાં વાહનોનાં પૈડાંના અથવા બરફમાં લોકોનાં પગલાંના અવાજથી એ નીરવતામાં વિક્ષેપ સર્જાતો હતો.
કૅનેડામાં સ્થાયી થવાના ઇરાદા સાથે રોજ લગભગ 150 માઇગ્રન્ટ્સ અહીં આવે છે. એ પૈકીના ઘણાનો પ્રવાસ બહુ જ દૂર આવેલા બ્રાઝિલથી શરૂ થતો હોય છે અને અપસ્ટેટ ન્યૂ યોર્કનો આ હાઇવે તેમના ઘર સુધી વિસ્તરેલો છે.
રોક્સહામ રોડ એ સત્તાવાર બૉર્ડર પૉઇન્ટ નથી. અહીં કોઈ બૉર્ડર એજન્ટ હોતા નથી. માત્ર પોલીસ અધિકારીઓ હોય છે અને તેઓ કૅનેડામાં ગેરકાયદે ઘૂસવાનો પ્રયાસ કરતા લોકોની ધરપકડ કરે છે.
જોકે, રોક્સહામ રોડ આશ્રય મેળવવાના હેતુસર અમેરિકામાંથી કૅનેડામાં પ્રવેશવાના સુલભ સ્થળ તરીકે જાણીતો થયો છે.
કૅનેડાની છાપ યુદ્ધ તથા સંઘર્ષમાંથી બચવા ભાગેલા લોકોને મદદ કરતો દેશ હોવાની છે. આ પ્રતિષ્ઠાથી પ્રેરાઈને ગયા વર્ષે સૌથી વધુ માઇગ્રન્ટ આ ક્રોસિંગ મારફતે કૅનેડામાં પ્રવેશ્યા હતા.
માઇગ્રન્ટ્સના ધસારાને કારણે સરહદની બન્ને બાજુ પર હતાશા વધી રહી છે. હાઇવેની સલામતી વિશેની ચિંતા વધી છે અને આ પ્રવાસ કરતા લોકોના ભવિષ્ય બાબતે પણ સવાલ ઊઠી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“સૂર્યકુમાર યાદવ સાથે જે બાબત સંકળાયેલી છે તે છે કે તેઓ 50 ઑવરની રમત થોડી ઘણી શીખી રહ્યાં છે. ટી20ની રમત સાવ અલગ છે. એટલું જ નહીં તમે ભારત માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ટી20 પણ લાંબા ગાળા સુધી રમ્યા નથી. તેઓ રમ્યા છે તો માત્ર દસ વર્ષ આઈપીએલ કે જે આંતરરાષ્ટ્રીય જેવી ટૂર્નામૅન્ટ ગણી શકાય.”
આ શબ્દો ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કૉચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડના છે. તેઓ આવું બોલી રહ્યા હતા, ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેના 24 કલાક બાદ રમાનારી નિર્ણાયક મૅચમાં ભારત ઑસ્ટ્રેલિયા સામે હારી જશે અને આ મૅચમાં પણ સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ગોલ્ડન ડક એટલે કે શૂન્ય રન સાથે જ આઉટ થઈ જશે.
સૂર્યકુમાર યાદવની અહીં વાત એટલા માટે થઈ રહી છે કે તેઓ હાલમાં જ આઈસીસી એટલે કે ઇન્ટનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી જાહેર ટી20ના સર્વશ્રેષ્ઠ બૅટ્સમેન તરીકે જાહેર થયા હતા.
એ જ સુર્યકુમાર યાદવ જ્યારે ભારત તરફથી વનડે રમવા ઊતરે છે, તો સ્કોરબૉર્ડ પર એક રન નોંધાવી નથી શકતા. ત્યાં સુધી કે મેદાન પર ઊતરવાની બીજી સેકન્ડે તેઓ પેવેલિયન ભેગા થઈ જાય છે. ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીને સવાલ થાય કે આખરે સૂર્યકુમાર યાદવ વનડેમાં આટલો ખરાબ દેખાવ કેમ કરી રહ્યા છે?
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, TWITTER/INDIAHISTORYPIC
1971માં દિલ્હીના બૅન્ક અધિકારી ઉપર વડાં પ્રધાનના અંગત વ્યક્તિનો ફોન આવે છે અને રૂ. 60 લાખની માગણી કરે છે, એટલું જ નહીં, તેને વડાં પ્રધાનના અવાજમાં જ ચૂકવણું કરવા માટેનો કૉડવર્ડ પણ જણાવવામાં આવે છે.
એ સમયે પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ ચાલી રહી હતી અને ભારત ત્યાંના બાંગ્લા પીડિતોને ન કેવળ આશરો આપીને પરંતુ સશસ્ત્ર તાલીમ આપીને પણ મદદ કરી રહ્યું હતું. એટલે કદાચ અનુભવી કૅશિયરને આ વાત અસામાન્ય ન લાગી હોય.
ગણતરીની કલાકોમાં સ્પષ્ટ થાય છે કે આ મામલો ઠગાઈનો હતો. પોલીસ તત્કાળ કાર્યવાહી કરે છે અને લગભગ તમામ રોકડ રકમ હાંસલ કરી લે છે. જોકે, એ પછી જે કંઈ થયું, તેણે 'કૉન્સપિરસી થિયરિસ્ટો'ને વ્યસ્ત રાખવા માટે પૂરતા સંજોગ પૂરા પાડ્યા.
'ઐતિહાસિક ઝડપ'થી સુનાવણી થઈ અને દોષિતને સજા થઈ, પરંતુ પાછળથી ખબર પડી કે શારીરિક મર્યાદાને કારણે દોષિત માટે ચોક્કસ કૃત્ય કરવું મુશ્કેલ હતું.
તપાસનીસ પોલીસ અધિકારીનું કારઅકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. કાયદાકીય ક્રમ આગળ વધે તે પહેલાં જેલમાં દોષિતનું મૃત્યુ થઈ ગયું. આનો આધાર લઈને વિખ્યાત લેખક રૉહિંગ્ટન મિસ્ત્રીએ નવલકથા પણ લખી અને તેના ઉપરથી ફિલ્મ પણ બની.
વડા પ્રધાન કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને એક શખ્સે ન કેવળ જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ ખેડ્યો, પરંતુ ત્યાં ઉચ્ચ સુરક્ષા પણ મેળવી. આટલું ઓછું હોય તેમ પોતાના મિત્રોને પણ સહેલ કરાવી હોવાનું બહાર આવી રહ્યું છે અને તેનો રેલો ગુજરાતમાં ઉચ્ચપદો ઉપર બેઠેલા લોકો સુધી પહોંચશે તેવી આશંકા સેવાઈ રહી છે. ત્યારે વર્ષો સુધી રાજકીય વાતાવરણને ગરમ રાખનાર એ કિસ્સા પર એક નજર.
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Empics
અમૃતપાલ સિંહ. છેલ્લા કેટલાક સમયથી આ નામ માત્ર પંજાબ જ નહીં, રાષ્ટ્રીય મીડિયામાં પણ ચર્ચામાં છે. દુબઈથી આવેલા આ શખ્સે ગાયક દીપ સિદ્ધુના સંગઠન 'વારિસ પંજાબ દે'ની (પંજાબના વારસદાર) કમાન સંભાળી છે.
અમૃતપાલ સિંહનો દેખાવ, વાત વર્તન અને કદ-કાઠીના 1970- '80 દાયકામાં અલગ ખાલિસ્તાનની માગ કરનારા ભિંડરાવાલે સાથે મળતી આવે છે. અમૃતપાલનું પૈત્તૃક ગામ તથા ઉગ્રવાદના રસ્તે અલગ ખાલિસ્તાનની માગ કરનારા જરનૈલસિંહ ભિંડરાવાલેનું ગામ પણ એક જ છે.
સ્થાનિક મીડિયામાં તેમને 'ભિંડરાવાલે 2.0' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ 18થી 25 વર્ષના યુવાનોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનનું કહેવું છે કે, 'અમુક હજાર લોકો એ પંજાબ નથી. આ લોકોને પાકિસ્તાનથી ફંડિંગ મળી રહ્યું છે. તેમના આકા પંજાબમાં અશાંતિ ઊભી કરવા માગે છે.'
અમૃતપાલ સિંહ ખાલિસ્તાનની માગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતમાં શીખો સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલે પહેલાં તેઓ ભારતના પંજાબમાં ખાલિસ્તાન સ્થાપિત કરવા માગે છે અને પછી તેઓ લાહોરમાં પણ ખાલસારાજ પ્રસ્થાપિત કરશે.
અમૃતપાલ સિંહની માગને કારણે ફરી એક વખત ખાલિસ્તાન, શીખ ધર્મ, તેના પ્રથમ શાસક રણજીતસિંહ અને સામ્રાજ્ય ચર્ચામાં છે, જેમનું શાસન કુલ મળીને માત્ર ત્રણ પેઢી સુધી જ ચાલ્યું હતું.
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ફેબ્રુઆરીમાં અહેવાલ આવ્યા કે સેલ્સફોર્સના સીઈઓ માર્ક બેનિઑફ 'ડિજિટલ ડિટૉક્સ' પર ચાલ્યા ગયા.
તેમણે ફ્રાન્સના પોલિનેસિયન રિસૉર્ટમાં 10 ટેક્નૉલૉજી-ફ્રી દિવસો માણ્યા. કેટલાક લોકો પોતાનાં મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવાનો (ડિજિટલ ડિટૉક્સનો) પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકે છે પણ મોટાભાગના લોકો માટે આ લગભગ અશક્ય છે.
ડિજિટલ ડિટૉક્સનો અર્થ એ છે કે ટેક્નૉલૉજીથી સંપૂર્ણ રીતે દૂર રહેવું. એટલે કે થોડાક દિવસો માટે તમે સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર રહેશો.
આમ કરવા પાછળનો હેતુ લોકોમાં તણાવ, ચિંતા ઘટાડીને તેમને વાસ્તવિક દુનિયા સાથે જોડવા. જોકે, ટેક્નૉલૉજીથી દૂર રહેવા દરમિયાન થનારા ફાયદા વૈજ્ઞાનિક ઢબે સાબિત થઈ શક્યા નથી. પણ ડિજિટલ ડિટૉક્સિંગ એક મોટો પડકાર બની રહ્યો છે.
પણ 2012થી આ પડકારનો સામનો કરવો વધુ મુશ્કેલ થઈ ગયો છે. એ જ વર્ષે સંશોધકોએ પ્રથમ વખત 'ડિજિટલ ડિટૉક્સ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ત્યાર સુધી સ્ક્રીનનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું હતું. જોકે ઍપ્લિકેશનના નવા વર્ઝન અને સોશિયલ મીડિયા ત્યારે પ્રારંભિક તબક્કામાં હતું.
જેથી ડિજિટલ ડિટૉક્સિંગનો પડકાર ઝીલવો આજની સરખામણીએ સરળ હતો. હાલમાં પોતાનું જીવન ટેક્નૉલૉજીથી અળગું કરવું લગભગ અશક્ય થઈ ગયું છે.
સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.
























