આવતા વર્ષે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે, અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

આવતા વર્ષે ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી શકે છે, અમેરિકાના વિદેશ મંત્રીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Eric Lee / POOL / AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કરી શકે છે. તેમણે આ વાત સમાચાર એજન્સી આઈએએનએસને આપેલી મુલાકાતમાં કરી હતી.

રુબિયોએ કહ્યું છે કે ભારત અને અમેરિકા ટ્રેડ ડીલની નજીક છે.

તેમણે કહ્યું, "મને લાગે છે કે બધું શાનદાર રીતે આગળ વધી રહ્યું છે. મારો અર્થ એ છે કે સંબંધો મજબૂત છે, જી-7માં રાષ્ટ્રપતિની વડા પ્રધાન સાથેની ઘણી સારી મુલાકાત રહી હતી. અમે વ્યાપાર સમજૂતીને અંતિમ રૂપ આપવાની આશા વ્યક્ત કરી રહ્યા છે."

રુબિયોએ કહ્યું, "અમે તેને પૂર્ણ કરવાથી કેટલાંક પગલાં જ દૂર છીએ. સંકેત સકારાત્મક છે. અમે જલદી એક ક્વૉડની બેઠકમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે."

"હું પોતે આ વર્ષના અંત પહેલા બીજી વખત ભારત આવવાની રાહ જોઉં છું. આવતા વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ (ટ્રમ્પ)ની યાત્રાની વ્યવસ્થા પર કામ કરી રહ્યો છું."

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

ઇમેજ સ્રોત, Fabrice Coffrini / POOL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે'

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર તણાવ વધવા પર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે કહ્યું કે 'હિંસાનો જવાબ હિંસાથી અપાશે.'

અમેરિકન સેનાએ શુક્રવારે ઈરાનનાં મિસાઇલ-ડ્રોન ઠેકાણાં અને રડાર ઠેકાણાં પર હુમલો કર્યો છે. આ કાર્યવાહી હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ રહેલા એક માલવાહક જહાજ (કાર્ગો શિપ)ને નિશાન બનાવ્યા બાદ કરાઈ છે.

બાદમાં જે.ડી. વેન્સે ઍક્સ પર અમેરિકન સેન્ટ્રલ કમાન્ડની એ પોસ્ટને રીપોસ્ટ કરી છે, જેમાં ઈરાન પર અમેરિકન હુમલાની માહિતી અપાઈ હતી.

વેન્સે પોતાની પોસ્ટમાં લખ્યું કે "ઈરાને યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને તેનું પાલન કર્યું છે. જો તેમને એમઓયુ (કરાર) લાગુ કરવાની રીત પર કોઈ અસહમતિ હોય તો અમને ફોન કરી શકતા હતા. પરંતુ હિંસાનો જવાબ હિંસાથી અપાશે."

અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર યુદ્ધવિરામના 'મૂર્ખતાપૂર્વક ઉલ્લંઘન'નો આરોપ મૂક્યો હતો.

ટ્રમ્પે કયા રસ્તાનું નામ બદલવા બદલ ભારતનો માન્યો?

ટ્રમ્પે કયા રસ્તાનું નામ બદલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો? -  ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bonnie Cash/UPI/Bloomberg via Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હૈદરાબાદના એક રસ્તાનું નામ બદલવા બદલ ધન્યવાદ પ્રગટ કર્યો છે. હવે આ રસ્તાને 'ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ'નું નામ આપવામાં આવ્યું છે.

ટ્રમે ટ્રુથ સોશિયલ પર તેના ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરતાં લખ્યું, "ભારતના હૈદરાબાદમાં ન્યૂ ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ. આ પ્રકારે સન્માનિત થનારા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ, આભાર."

આ પહેલાં બુધવારે અમેરિકાના હૈદરાબાદમાં આવેલા અમેરિકી સૉન્સુલેટ જનરલે ઍક્સ પર આ માર્ગના ઉદ્ઘાટન સમારોહની જાણકારી આપી હતી.

કૉન્યુલેટે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને તેલંગાણાના ઉપમુખ્ય મંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લૂની એક તસવીર પણ જારી કરી હતી.

હૈદરાબાદમાં આવેલા અમેરિકાના કૉન્સુલેટ જનરલે ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરી.

ઇમેજ સ્રોત, X/@USAndHyderabad

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદમાં આવેલા અમેરિકાના કૉન્સુલેટ જનરલે ઉદ્ઘાટન સમારોહની તસવીર શૅર કરી.

અમેરિકાના કૉન્સુલેટે લખ્યું, "હૈદરાબાદમાં એક ઐતિહાસિક પળ, અમરિકાની 250મી વર્ષગાંઠના સન્માનમાં તેલંગાણાના ઉપમુખ્ય મંત્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લૂએ અમેરિકાના વાણિજ્ય દૂતાવાસ પાસેના રસ્તાને આધિકારિક રીતે બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ ઍવેન્યૂ કરીને તેનું નામકરણ કર્યું.'

"આ અદ્ભુત સન્માન માટે તેલંગાણાના લોકોનો હાર્દિક ધન્યવાદ, આ અમારા સતત મજબૂત થતા સંબંધોનું પ્રમાણ છે."

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 920 થયો

વેનેઝુએલામાં આવેલા ભૂકંપને કારણે 920 લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલામાં આવેલા ભૂકંપને કારણે 920 લોકોનાં મૃત્યુ થયાં છે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં અત્યારસુધીમાં 920 લોકોનાં મોત થયાં છે અને 3,360 લોકો ઘાયલ થયા છે. વેનેઝુએલા સરકારે આ જાણકારી આપી છે.

બચાવકર્મી હજુ જીવતા બચેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. બીજી તરફ પરિજનો પણ પોતાના સ્વજનો વિશેની ખબરની રાહ જોઈ રહ્યા છે.

ઘાયલોની સારવાર વિવિધ અસ્થાયી ચિકિત્સાકેન્દ્રોમાં થઈ રહ્યો છે. દેશના ઉત્તર ભાગમાં આવેલા બે ભીષણ ભૂકંપને કારણે દઝનો ઇમારતો તૂટી જવા પામી છે, જેમાં રાજધાની કરાકાસની ઇમારતો પણ સામેલ છે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સેંકડો આંતરરાષ્ટ્રીય બચાવકર્મી દેશમાં પહોંચી રહ્યા છે, કેટલીક ટીમો રસ્તામાં છે.

ઘણા લોકો લાપતા છે અને બચાવ અભિયાન હજુ ચાલી રહ્યું છે. રાજધાનીની ઉત્તરમાં આવેલું લા- ગુઆઈરા ક્ષેત્ર પણ ભૂકંપને કારણે પ્રભાવિત થયું છે. આ રાજ્યના બે પ્રમુખ બંદરોમાંથી એક છે. અધિકારીઓનું માનવું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન