ટ્રાન્સજેન્ડર લોકોને નૃત્ય શીખવતી શાળા ક્યાં છે?

ટ્રાન્સજેન્ડર લોકોને નૃત્ય શીખવતી શાળા ક્યાં છે?
પ્રકાશિત

ઘણાં ટ્રાન્સજેન્ડર લોકો કહેતા હતા કે, ભરતનાટ્યમ્ શીખવું તેમનું સપનું છે. પણ તેમને તે ખબર નહોતી તે ક્યાં શીખવું અને આ રીતે આ શાળા શરૂ થઈ.

ભારતની સહોદરન ફાઉન્ડેશન ટ્રાન્સજેન્ડર લોકોને નિ:શુલ્ક નૃત્ય શીખવે છે.

ભરતનાટ્યમ્, દક્ષિણ ભારતનું એક શાસ્ત્રીય નૃત્ય છે.

હવે 14 ટ્રાન્સજેન્ડર લોકો આ વર્ગોમાં તાલીમ લઈ રહ્યા છે.

ભરતનાટ્યમ શીખનારાં સેલ્વી સંતોષમે કહ્યું હતું કે, "પરિવર્તિત થયા પછી મારે ઘણી તકો ગુમાવવી પડી અને ઘણા અપમાનનો સામનો કરવો પડ્યો."