You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંદિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ એઇમ્સમાં લઈ જવાયાં ત્યારે શું માહોલ હતો?
"અમને કંઈ પણ ખબર ન હતી કે ઇંદિરા ગાંધીને એઇમ્સમાં લવાઈ રહ્યાં છે. ઇંદિરા ગાંધીને જ્યારે એઇમ્સમાં લાવવામાં આવ્યાં ત્યારે તેઓ લોહીથી લથપથ હતાં. ગોળીઓની તો કોઈ ગણતરી થઈ શકે એમ ન હતી."
આ શબ્દો દિલ્હી એઇમ્સનાં પ્રથમ મહિલા ડિરેકટર ડૉક્ટર સ્નેહ ભાર્ગવના છે.
ડૉક્ટર સ્નેહ ભાર્વગે તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'ધ વુમેન હુ રેન એઇમ્સ'. આ પુસ્તકમાં એમણે એ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે જ્યારે પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ગોળી વાગ્યા બાદ એઇમ્સમાં લાવવામાં આવ્યાં હતાં.
'ધ વુમેન હુ રેન એઇમ્સ' પુસ્તકમાં એ દિવસનો ચિતાર આપવામાં આવ્યો છે.
અતીતમાં પાછા ફરીને ડૉક્ટર સ્નેહ ભાર્ગવ એ દિવસને કેવી રીતે યાદ કરે છે?
જ્યારે ઇંદિરા ગાંધીને એઇમ્સ લવાયાં ત્યારે એમની શું સ્થિતિ હતી? કેવો માહોલ હતો? સોનિયા ગાંધીની મનો:સ્થિતિ શું હતી? એઇમ્સમાં આગામી વડા પ્રધાન વિશે કોનું નામ ચર્ચાયું હતું?
આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે જુઓ આ વીડિયો.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન