You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'જિંદગી આખી નીકળી ગઈ, પણ પાણીનું સુખ ભાળ્યું નથી', સુરેન્દ્રનગરનાં ગામોમાં પશુધન જિવાડવા લોકોએ ઘરબાર છોડ્યાં
પ્રકાશિત
ધખધખતા તાપ અને અગન વરસાવતા દિવસોમાં માસૂમ બાળકોને લઈને આ મહિલાઓ દરરોજ પાણી માટે કિલોમીટરો સુધી ચાલી તરસ સામે સંઘર્ષ કરે છે.
પાણીનો આ સંઘર્ષ હવે આ મહિલાઓના જીવનનો ભાગ બની ચૂક્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહિતનાં અનેક ગામો પાણીની તંગીથી ઉજ્જડ બની રહ્યાં છે.
પશુપાલન પર નિર્ભર આ ગામના લોકો ધીમે ધીમે કરીને હિજરત કરી રહ્યા છે.
વીડિયો : સચીન પીઠવા / રવિ પરમાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો