ઇંડોનેશિયા જ્વાળામુખી : જાવા દ્વીપ પર માઉન્ટ સેમેરુથી નીકળેલી રાખમાં આખેઆખાં ગામ ઢંકાયાં, લોકો જીવ બચાવવા ભાગ્યા

પ્રકાશિત

ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ પર જ્વાળામુખી ફાટતાં કમસે કમ 13 લોકોનાં મૃત્યુ થયાં છે. ઈન્ડોનેશિયાની આપાતકાલીન સેવાના અધિકારીઓનું કહેવું છે કે શનિવારે જ્વાળામુખી ફાટતાં સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે.