You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દરિયાની જળસપાટી વધતાં ગુજરાતનાં આ ગામડાંમાં કેવી અસર થઈ?
ગુજરાતમાં દરિયાકાંઠાની વધતી જતી જળસપાટી દરિયાકાંઠે વસતાં ગામલોકો માટે ચિંતાનું કારણ બની છે.
વલસાડ જિલ્લાનાં આઠ જેટલાં ગામોને બચાવવા માટે મોટા પથ્થરોની એક દીવાલ પણ બનાવવામાં આવી છે. જોકે આ દીવાલ લોકોને કેટલી સુરક્ષિત રાખી શકશે એ સવાલ છે.
દરિયાકાંઠે આવેલા વેકરિયા ગામમાં એક સમયે 200થી વધુ પરિવારો રહેતા હતા, જેઓ સંપન્ન હતા તેઓ અન્ય જગ્યાએ રહેવા માટે જતા રહ્યા છે.
જોકે કેટલાક એવા પરિવારો પણ છે, જેઓ અહીં વસ્યા છે અને ચિંતિત પણ છે.
સ્થાનિકોએ છેલ્લા બે દાયકામાં દરિયાઈપટ્ટીનાં અનેક ઘરોને સાગરમાં ભળી જતા જોયાં છે.
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો વિશેષ અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો