'સૂતા હતા ત્યારે આગ લાગી, કૂદકો મારીને જીવ બચાવ્યો', સુરતમાં આગ લાગી ત્યારે શું થયું હતું?

પ્રકાશિત

સુરતની કડોદરા જીઆઈડીસીમાં આવેલી એક મિલમાં ભીષણ આગ લાગી હતી.

વિવા પૅકેજિંગ નામની આ મિલમાં વહેલી સવારે આગ લાગી હતી.

આગ એટલી ભીષણ હતી કે 10 જેટલા ફાયર ફાઇટર્સ આગ બુઝાવવા માટે કામે લાગ્યા હતા.

બારડોલી ડિવિઝનનાં ડીવાયએસપી રૂપલ સોલંકીના કહેવા પ્રમાણે આ આગમાં બે લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો