You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન ફરી લદાશે એવા ડરમાં પ્રવાસી મજૂરોની વતન ભણી કૂચ
ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દેશમાં ફરી એક વાર લૉકડાઉન લદાશે તેવો ભયનો માહોલ છે.
આ ભયના માહોલના પગલે દેશનાં વિવિધ રાજ્યોમાંથી ફરીથી રોજરોટી રળવા અર્થે પોતાના વતનથી દૂર આવેલા લોકો પોતાનાં વતન પરત ફરી રહ્યાં છે.
નોંધનીય છે કે પાછલા લૉકડાઉનમાં રાતોરાત લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ હતી, જેને પગલે લાખો શ્રમિકોને પગપાળા પોતપોતાનાં વતન જવાની ફરજ પડી હતી.
આ વખત પણ આવી મુશ્કેલીઓ વેઠવાનો વારો ન આવે તે માટે ઘણા શ્રમિકો આગમચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર જેવાં મોટાં રાજ્યોમાંથી વતન ભણી કૂચ કરી રહ્યા છે.
જુઓ આ અંગે બીબીસી ગુજરાતીની વિસ્તૃત રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો