નવરાત્રીમાં નવો ટ્રૅન્ડ, PPE કિટવાળી ચણિયાચોળી સાથે સુરતીઓએ ગરબા લીધા

પ્રકાશિત

દુનિયાના સૌથી લાંબા ડાન્સિંગ ફેસ્ટિવલ ગણાતાં નવરાત્રીના તહેવારમાં આ વર્ષે ગરબા નહીં થાય.

કોરોનાના સમયમાં બીમારી વધુ ન ફેલાય એ માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ગાઇડલાઇન્સ આવી તે પહેલાંથી જ સુરતસ્થિત ફૅશન ડિઝાઇનર્સના વિદ્યાર્થીઓના એક ગ્રૂપે પીપીઈ કિટમાંથી ગરબાના કોસ્ચ્યુમ બનાવ્યા હતા.

તેમણે જાતે પેઇન્ટ કરેલાં અને પીપીઈ કિટમાંથી તૈયાર કરેલાં આ રંગબેરંગી કપડાં હવે સુરત સિવિલ હૉસ્પિટલના કોવિડ કૅર વૉલન્ટિયરને આપવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો