ડાંગમાં લોકો ઉનાળામાં રાત્રે શા માટે પાણીની શોધમાં નીકળે છે?

પ્રકાશિત

આ ગુજરાતના ડાંગ જિલ્લાના નિમપાડા ગામના રહેવાસીઓ છે. દિવસભરની તનતોડ મહેનત બાદ જ્યારે સૂરજ ઢળી જાય છે ત્યારે શરૂ થાય છે ગામલોકોની તરસ મીટાવવાની લાંબી સફર.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં વધારે વરસાદ પડતો હોવા છતાં ઉનાળો આવતાં અહીં પાણીની તંગી શરૂ થઈ જાય છે.

પીવાના પાણી માટે અહીં ગામલોકોને રાત્રે એકથી બે કિલોમિટર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. પાણીની એટલી તંગી છે કે લોકો દિવસે પાણીના મળે તો રાત્રે ભરવા નીકળી પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો