પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રાજીનામું આપશે?
પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહમદે કહ્યું કે ઇમરાન ખાન બુધવારે સાંજે દેશના લોકોને સંબોધન કરશે.
ઇમરાન ખાને આજે બપોરે કૅબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ શેખ રાશિદે કહ્યું કે ઇમરાન ખાન પર કૅબિનેટે ભરોસો વ્યક્ત કર્યો છે અને તેઓ રાજીનામું નહીં આપે.
તો પાકિસ્તાનના માહિતી અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ પણ કહ્યું હતું કે ઇમરાન ખાન રાજીનામું નહીં આપે.
ઇમરાન ખાને 27 માર્ચે પોતાની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફની રેલીમાં એક ચિટ્ઠી લહેરાવીને કહ્યું હતું કે કેટલીક વિદેશી તાકતો તેમની સરકાર ઊથલાવા માગે છે.