યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યું છે કે રશિયન સૈનિકો ઝેપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ચારેય તરફથી ગોળીબાર કરી રહ્યા છે. આ યુરોપનો સૌથી મોટો ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે.
સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે હુમલાના કારણે પ્લાન્ટમાં આગ લાગી ગઈ છે. કુલેબાએ ટ્વિટર પર કહ્યું કે, "રશિયા તાત્કાલિક ગોળીબાર બંધ કરે જેથી આગ ઓલવવાનું કામ શરૂ કરી શકાય."
ઓપન ન્યૂક્લિયર નેટવર્કનાં નિદેશક લૉરા રૉકવુડે બીબીસી રેડિયો 4ને જણાવ્યું કે યુદ્ધને કારણે યુક્રેનમાં ઇલેક્ટ્રિસિટી ગ્રિડ પ્રભાવત થઈ શકે છે. આ ગ્રિડ પ્લાન્ટ ન્યૂક્લિયર પ્લાન્ટ પર નિર્ભર છે. તેની આસપાસ સૈન્ય સંઘર્ષથી બે ખતરા છે - પ્લાન્ટને ભારે નુકસાન થશે અને ત્યાં કામ કરતા લોકો પ્રભાવિત થશે. તેનાથી ગંભીર વાત એ કે પ્લાન્ટ બંધ થશે અને પરમાણુ દુર્ઘટના થઈ શકે છે.
ધ ઇન્ટરનેશન એટૉમિક એનરજી એજન્સી (આઈએઈએ)એ કહ્યું કે તેઓ યુક્રેનના અધિકારીઓના સંપર્કમાં છે. પ્લાન્ટના એક પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર રશિયન દળોને ગોળીબાર બંધ કરવાનું કહ્યું છે.
સમાચાર એજન્સી અનુસાર, ટેલિગ્રામ પર એક વીડિયોમાં એંડ્રી તુઝે કહ્યું કે, ''યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર પરમાણુ ખતરાની આશંકા છે. રશિયા ભારે ગોળીબાર કરે છે અને ત્યાં આગ ઓલવવી મુશ્કેલ છે. જે રિએક્ટરમાં આગ લાગી છે, તેનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ હાલ તે ચાલુ નથી, પરંતુ આમાં પરમાણુ ઈંધણ છે.''
આ પાવર પ્લાન્ટથી યુક્રેનને તેની કુલ જરૂરિયાતની 25 ટકા વીજળી મળે છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિએવથી લગભગ 100 કિલોમીટર દૂર ચેર્નોબિલ પ્લાન્ટને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. આ પહેલેથી નિષ્ક્રિય છે.
ત્યારે ઇનરહોડાર શહેરના મેયર દિમિત્રો ઓર્લોવના જણાવ્યા અનુસાર, આગ "પ્લાન્ટની ઇમારતો અને એકમો પર દુશ્મનોના સતત બોમ્બમારા"ને કારણે લાગી હોવાનું જણાય છે.
દિમિત્રો ઓર્લોવે અગાઉ શહેરની બહાર રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ લડાઈની જાણ કરી હતી.
રશિયન સૈન્યએ ટેન્કોના કાફલા સાથે શહેરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને પ્લાન્ટ પર કબજો મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ બુધવારે સ્થાનિક નાગરિકો અને પ્લાન્ટના કર્મચારીઓએ રસ્તો રોકીને પ્લાન્ટનો રસ્તો બ્લૉક કરી દીધો હતો.
યુક્રેનમાં હાલમાં ચાર પરમાણુ પ્લાન્ટ કાર્યરત છે, જેમાં ઇનરહોડારમાં ઝાપોરિઝિયા પ્લાન્ટનો સમાવેશ થાય છે.