ભારતમાં ઘરમાં બનાવેલા માસ્ક પર ભાર મૂકવા
પાછળ એક મહિલા વૈજ્ઞાનિકનો હાથ છે.
11 એપ્રિલે
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો
કૉન્ફરન્સિંગમાં મોઢું ઢાંક્યું હતું તે કપડું હતું, ન કે બજારથી લીધેલો માસ્ક.
હાલમાં જ મોદી સરકારે ભારતીય લોકોને ગીચ
વિસ્તારોમાં કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ફેસમાસ્ક પહેરવાની સલાહ આપી છે.
આ પહેલાં સરકારે માત્ર કોરોના સંક્રમિતોને
માસ્ક પહેરવાની સલાહ આપી હતી.
વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર પલ્લવ બાગલાનું
કહેવું કે ભારત
સરકારની આ નીતિમાં ફેરફાર અને એક અબજથી વધારે દેશવાસીઓને ઘરમાં બનાવેલા માસ્ક
પહેરવા પર ભાર મૂકવા પાછળ એક મહિલા બાયૉ-કૅમિસ્ટનો હાથ છે.
58 વર્ષીય શૈલજા વી. ગુપ્તા ભારત સરકારનાં પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર સમૂહમાં સામેલ છે. તેઓ સરકારને
નીતિઓ બનાવવા અને ટેકનોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવા અંગે સલાહ આપે છે.
તેમનું કહેવું છે કે ટ્રાન્સમિશન રોકવા માટે
ઘરમાં બનાવેલા માસ્ક એક દેખીતું સમાધાન છે, ખાસ કરીને ગીચ વિસ્તારોમાં.
દાખલા તરીકે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને
સ્થાનિક સ્તરે, સસ્તું અને સાદું સમાધાન જોઈએ છે અને આવી
પરિસ્થિતિમાં ઘરમાં બનાવેલા માસ્ક એક સારો વિકલ્પ હોઈ શકે છે.
માસ્કની અસરકારકતા વિશે વિવાદ ચાલી રહ્યો હતો
કે કોને માસ્ક પહેરવા જોઈએ અને કયા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ.
વિશ્વ સ્વાસ્થ્ય
સંગઠનનું કહેવું હતું કે માસ્ક સુરક્ષાનું એક સાધન હોઈ શકે તેના પુરાવા નથી.
ત્યારે એશિયાના કેટલાક દેશોમાં માસ્કને ફરજિયાત કરવામાં આવ્યા હતા.
જ્યારે કોરોના વાઇરસે ભારતને ભરડમાં લીધું
ત્યારે શૈલજા ગુપ્તાએ ઘરે માસ્ક બનાવવાનું એક મૅન્યુઅલ તૈયાર કરવામાં મદદ કરી હતી.
તેને 22 ભાષાઓમાં તૈયાર કરવામાં આવ્યું અને વાઇરસ સામે લડત માટે
ઘરમાં બનાવેલા માસ્ક પર એક પ્રમુખ હથિયાર તરીકે ભાર મૂકવામાં આવ્યો.
શૈલજા ગુપ્તાનું કહેવું છે કે કૉટનના કાપડથી
કોઈ પણ માસ્ક ઘરે બની શકે છે, આ કપડું નવું કે જૂનું હોઈ શકે છે. નવ ઈંચ બાય સાત ઈંચનો
ટુકડો લઈ અને ચાર પાતડી પટ્ટી જોડીને મોં પર બાંધી દેવો. આ માસ્કથી મોં અને નાક
બરાબર ઢાંકેલાં હોવાં જાઈએ અને તેને સાબુ અને પાણીથી ધોઈને ફરી વાપરી શકાય.
આ માસ્ક બજારમાં મળતા અન્ય સર્જિકલ માસ્ક કે
પછી એન-95 માસ્ક કરતાં સસ્તા પડે
છે.
ભારત સરકારનું કહેવું છે કે અત્યાર સુધી 78 હજાર સ્વયંસેવી સંગઠનો દ્વારા બે કરોડથી વધારે માસ્ક
બનાવવામાં આવ્યા છે.
શૈલજા ગુપ્તાએ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે
અને તેમણે દેશમાં ગરીબ વર્ગ સાથે વર્ષો સુધી કામ કર્યું છે. મુંબઈના ધારાવી વિસ્તારમાં
તેમણે સ્થાનિકો સાથે કામ કર્યું છે.