રોહિત શર્માની અર્ધસદી
પહેલી ઓવરથી જ આક્રમક મૂડમાં બેટિંગ કરી રહેલા રોહિત શર્માએ 47 બૉલમાં 52 રન ફટકારીને અર્ધસદી પૂર્ણ કરી છે.
તેમણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ સદી ફટકારી છે.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધારદાર ઓપનિંગ કરી સદી ફટકારનાર રોહિત બન્યા પ્લેયર ઑફ ધ મૅચ
પહેલી ઓવરથી જ આક્રમક મૂડમાં બેટિંગ કરી રહેલા રોહિત શર્માએ 47 બૉલમાં 52 રન ફટકારીને અર્ધસદી પૂર્ણ કરી છે.
તેમણે આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ સદી ફટકારી છે.
આજની મૅચમાં ભારતીય ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્મા અને લોકેશ રાહુલ સારા સ્ટ્રાઇક રેટ સાથે રમી રહ્યા છે.
પહેલી 10 ઓવરમાં ટીમે 69 રન કર્યા હતા, જે પ્રથમ પાવરપ્લેમાં ભારતીય ટીમનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.
10 ઓવરમાં ભારતીય ટીમનો સ્કોર 69 રને પહોંચ્યો છે, હીજી સુધી એક પણ વિકેટ ટીમે ગુમાવી નથી.
રોહિત શર્મા અને લોકેશ રાહુલે એક મજબૂત પાર્ટનરશિપ સાથે શરૂઆત કરી છે.
હાલમાં રોહિત શર્મા 38 રન અને રાહુલ 28 રન સાથે રમતમાં છે.
રોહિત શર્મા અને લોકેશ રાહુલ વચ્ચે 50 રનનની પાર્ટનરશિપ થઈ છે.
રોહિત શર્મા અને લોકેશ રાહુલે શરૂઆતથી ઝડપી શરૂઆત કરી હતી.
રોહિત શર્માએ પહેલી ઓવરથી જ સિક્સર અને બાઉન્ડરી મારી હતી.
ભારતીય ટીમના પેહલી પાંચ ઓવરમાં 21 રન થયા છે, ભારતીય ટીમે અત્યાર સુધીમાં એક પણ વિકેટ ગુમાવી નથી.
પાંચમી ઓવરમાં બાંગ્લાદેશના ખેલાડી તમિમ ઇકબાલે રોહિતનો કૅચ છોડ્યો હતો.
રોહિત શર્માએ પહેલી જ ઓવરના ચોથા બૉલ પર સિક્સ ફટકારીને ખાતું ખોલ્યું હતુ.
આ વર્લ્ડ કપમાં ભારતના ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે, તેમણે ત્રણ વખત સદી ફટકારી છે.
રોહિત શર્મા અને લોકશ રાહુલ ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરવા મેદાન પર ઊતર્યા છે.
રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં 122 રન ફટકાર્યા હતા અને અણનમ રહ્યા હતા.
આજની ટીમના પ્લેયિંગ ઇલેવનમાંથી કેદાર જાધવ અને કુલદીપ યાદવને બહાર રાખવામાં આવ્યા છે.
તેમના બદલે ટીમમાં દિનેશ કાર્તિક અને સ્વિંગ બૉલર ભુવનેશ્વર કુમારને સમાવવામાં આવ્યા છે.
ભુવનેશ્વરના આવ્યા બાદ ભારતીય ટીમની બૉલિંગ લાઇનઅપ વધારે મજબૂત બની ગઈ છે.
ભારતીય ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 7 મૅચ રમી ચૂકી છે. જેમાંથી પાંચ મૅચમાં જીત મળી છે, એક મૅચ અનિર્ણીત રહી હતી.
જ્યારે ઇંગ્લૅન્ડ સામે રવિવારે યોજાયેલી મૅચમાં ભારતીય ટીમની હાર થઈ હતી.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી તથા બાંગ્લાદેશની ટીમના કૅપ્ટને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મૅચ પૂર્વે BCCIએ એક તસવીર ટ્વીટ કરી હતી. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે કે વાતાવરણ ચોખ્ખું રહેશે અને મૅચ દરમિયાન વરસાદનો અવરોધ ઊભો નહીં થાય.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચ રમાયેલી મૅચમાં 27 વર્ષ બાદ ભારત વિશ્વ કપની મૅચમાં ઇંગ્લૅન્ડ સામે હારી ગયું હતું.
આ હાર બાદ અનેક પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા. આ સાથે જ ભારતના મિડલ-ઑર્ડરની ક્ષમતાઓને લઈને પણ ચર્ચાઓ જાગી હતી.
આ અંગે જાણવા આ અહીં ક્લિક કરો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ થોડી ક્ષણોમાં શરૂ થશે. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક જ મૅચની જરૂર છે.
અગાઉ ઇંગ્લૅન્ડ સામે રમાયેલી મૅચમાં ભારતનો 31 રને પરાજય થયો હતો.
ભારત અત્યાર સુધી સાત મૅચ રમ્યું છે જેમાંથી તેનો પાંચ મૅચમાં વિજય થયો છે. ભારત એક મૅચ હાર્યું છે તથા એક મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
હાલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ 11 પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે.
શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર બાદ હવે વિજય શંકરને પણ વર્લ્ડ કપ ટીમમાંથી ઈજાને કારણે બહાર કરવામાં આવ્યા છે.
વર્લ્ડ કપમાં વિજય શંકર બહુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, જ્યારે ભુવનેશ્વર કુમારને બદલે ટીમમાં આવેલા મોહમ્મદ શમીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
ભારતીય ટીમના મૅનેજમૅન્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)ને વિજય શંકરને બદલે મયંક અગ્રવાલને ટીમમાં સમાવવાની અપીલ કરી છે.
મયંક અગ્રવાલે 2018માં ઑસ્ટ્રેલિયા સામેની બૉક્સિંગ ડે ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. આ મૅચમાં તેમણે 76 રન કર્યા હતા.
ફોર્મની દૃષ્ટિએ ભારતીય ટીમમાં કોઈ ખામી નથી. રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટમાં ત્રણ સદી ફટકારી છે તો વિરાટ કોહલી છેલ્લી પાંચ મૅચમાં અડધી સદી ફટકારી ચૂક્યા છે.
આમ છતાં ધોની અને કેદાર જાધવની ધીમી બેટિંગ ચિંતાનો વિષય છે.
બીજી તરફ બાંગ્લાદેશના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો છે. ખાસ કરીને સાકીબ અલ હસન જોરદાર ફોર્મમાં છે. વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડરે અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકાર્યા બાદ પાંચ વિકેટ પણ ઝડપી હતી.
બીજી બાજુ એજબસ્ટનનું મેદાન વિચિત્ર આકાર ધરાવે છે તે જોતાં આ બંને બૉલરને લાભ થાય તેમ છે.
બાંગ્લાદેશ માટે આ મૅચ અત્યંત મહત્ત્વની છે કેમ કે, ભારતના પરાજય બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે વધુ જોખમ પેદા થયું છે.
જોકે, બાંગ્લાદેશ સાવ ફેંકાઈ ગયું નથી, પરંતુ તેમને બાકીની બંને મૅચ જીતવી ફરજિયાત બની ગઈ છે.
બાંગ્લાદેશે હવે ભારત અને પાકિસ્તાન બંનેને હરાવવા તો પડશે જ, પરંતુ ત્યારબાદ પણ તેમણે ન્યૂઝીલૅન્ડ જીતી જાય તેવી આશા રાખવાની છે.
ભૂતકાળમાં એક એવી મૅચ રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશે વધુ સશક્ત મનાતી ભારતની ટીમને વર્લ્ડ કપમાંથી બહાર જવાનો રસ્તો દેખાડ્યો હતો.
વર્ષ 2007ના વર્લ્ડ કપની છે, 17 માર્ચના રોજ ઓવલના ક્વીન્સ પાર્ક ખાતે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૅચ રમાઈ હતી.
એ મૅચ અંગે વધુ વાંચવા અહીં ક્લિક કરો.
મૅચમાં પૉઇન્ટ્સ ટેબલની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપની સિરીઝમાં 14 પૉઇન્ટ સાથે ઑસ્ટ્રેલિયા સૌથી આગળ ચાલી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયા આઠમાં સાત મૅચ જીત્યું છે અને એક મૅચ હાર્યું છે.