સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ

કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં કેસો વધી રહ્યા છે, એ વચ્ચે બ્રિટનમાં ઓમિક્રૉનથી થયેલા પ્રથમ મોતના સમાચારે લોકોની ચિંતા વધારી દીધી છે.

લાઇવ કવરેજ

  1. સુરતમાં ઓમિક્રૉનનો પ્રથમ કેસ આવતાં 100ના ટેસ્ટ કરાયા, બીજી લહેર વખતે સર્જાઈ હતી ભયાવહ સ્થિતિ, ટીમ બીબીસી ગુજરાતી

    કોરોના વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાતમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટનો વધુ એક કેસ નોંધાયો છે. સુરતમાં રહેતા હીરાવેપારી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.

    અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના ત્રણ કેસ નોંધાયા હતા અને આ ત્રણેય કેસ જામનગરમાં નોંધાયા હતા.

    જે બાદ ચોથો કેસ સુરતમાં નોંધાયો છે અને તે 44 વર્ષીય હીરાવેપારી છે.

    ઍરપૉર્ટ પર કોરોના ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ નૅગેટિવ આવ્યો હતો. જોકે ઘરે પહોંચ્યા બાદ આ હીરાવેપારીની તબિયત બગડી હતી, જે બાદ તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

    આ 42 વર્ષીય હીરાવેપારી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાથી સુરત પરત ફર્યા હતા.

    સંપર્કમાં આવેલા 100 લોકોના ટેસ્ટ કરાયા

    સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બીબીસીના સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ”આ દર્દીની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.”

    કમિશનર પાનીએ કહ્યું કે તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં જ ગુજરાત સરકારની જિનોમ સિક્વન્સિંગ લૅબમાં તેમના સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.

    આ રિપોર્ટ મળતાં જ તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો, મિત્રો અને હૉસ્પિટલના સ્ટાફ સહિતના લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત તેમનાં બાળકો શાળાએ જતાં હોવાથી સ્કૂલના પણ અન્ય લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ દર્દીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંપર્કમાં આવેલા 100 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    સુરતમાં કોરોનાની સ્થિતિ

    સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન પ્રમાણે રવિવારે સુરત શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણના આઠ નવા કેસ નોંધાયા હતા, એ અગાઉ શનિવારે 11 કેસ નોંધાયા હતા.

    આ સાથે જ સુરત જિલ્લાના વલસાડ અને નવસારીમાં કુલ ત્રણ નવા કેસ નોંધાયા હતા.

    શનિવારે સુરતમાં એક આઠ વર્ષીય બાળક પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયું હતું.

    અહેવાલો પ્રમાણે આ બાળકના પરિવારજનો પણ પહેલાં સંક્રમિત થયા હતા અને તેઓ જે ઍપાર્ટમૅન્ટ રહે છે, એ ઍપાર્ટમૅન્ટમાં એક અઠવાડિયા દરમિયાન નવ કેસ નોંધાયા છે.

    વધુ એક કેસ આવ્યા બાદ આ ઍપાર્ટમૅન્ટને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યું હતું.

  2. શું હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું?

    હેડ ક્લાર્કની 186 જગ્યાઓની બરતી માટે પરીક્ષા યોજાઈ હતી, જેના પેપર લીક થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, હેડ ક્લાર્કની 186 જગ્યાઓની બરતી માટે પરીક્ષા યોજાઈ હતી, જેના પેપર લીક થયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની ખાલી પડેલી 186 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો છે.

    ખાલી પડેલી 186 જગ્યાઓ માટે રાજ્યભરમાંથી બે લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી દોઢ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.

    રવિવારે બપોરે 12 વાગ્યાથી યોજાયેલી આ પરીક્ષાનું પેપર શનિવારે રાતે જ લીક થઈ ગયું હોવાના આક્ષેપ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે.

  3. દેશના માથે ઓમિક્રૉનનું સંકટ? કુલ કેસ 45 થયા

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનના ચાર નવા કેસ આવ્યા છે. આ સાથે દેશમાં ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા 45 થઈ ગઈ છે.

    આ પહેલાં સોમવારે ગુજરાતના સુરતમાં એક કેસ નોંધાયો હતો અને ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં વધુ બે કેસ નોંધાયા હતા.

    દેશભરની સ્થિતિ પર નજર કરીએ તો સૌથી વધારે કેસ ગુજરાતનાં બે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં છે, જેની સંખ્યા અનુક્રમે 20 અને નવ છે.

    આ સાથે જ ગુજરાતમાં ચાર, કર્ણાટકમાં ત્રણ, કેરળમાં એક, આંધ્રપ્રદેશમાં એક, દિલ્હીમાં છ અને ચંડિગઢમાં એક કેસ થયા છે.

  4. લખીમપુર ખીરી હિંસા અંગે તપાસ ટીમનું તારણ, ‘પૂર્વાયોજિત કાવતરું’ હતું

    લખીમપુર ખેરી હિંસા

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, હિંસાના સમયે સ્થળ પર પહોંચેલી પોલીસ

    3 ઑક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી ખાતે ત્રણ કારના એક કાફલાએ પ્રદર્શનકારી ખેડૂતોને કચડી નાખ્યા હતા. જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

    ન્યૂઝ લૉન્ડ્રી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આ ત્રણ કારમાંથી બે કાર કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રની હતી.

    સમાચાર એજન્સી એએનઆઈ યુપી અનુસાર આ મામલાની તપાસ કરી રહેલી ટીમે જણાવ્યું છે કે આ સમગ્ર હિંસા ‘પૂર્વાયોજિત કાવતરું’ હતી.

    જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

  5. કોરિયન યુદ્ધના અંત માટે ઉત્તર કોરિયાની શું છે શરતો?

  6. હરનાઝ સંધુની બાળપણથી મિસ યુનિવર્સ બનવા સુધી કહાણી

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    મિસ યુનિવર્સ હરનાઝ સંધુના ગામમાં ખુશીનો માહોલ છે, આ વીડિયો એ સમયનો છે જ્યારે હરનાઝ સંધુ મિસ દીવા 2021નો ખિતાબ જીતીને પોતાને ગામ પહોંચ્યાં હતાં.

    હરનાઝ સંધુનું વતન ગુરદાસપુરનું કુહાલી છે. હરનાઝ પોતાના પરિવાર સાથે ખરડ, મોહાલીમાં રહે છે; પરંતુ બાકીનો પરિવાર ગામમાં રહે છે.

    કોઈ ભારતીય 21 વર્ષ બાદ આ ખિતાબ જીત્યાં છે.

    વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

  7. ગુજરાતમાં કોરોનાથી થયેલાં મોતના આંકડા મામલે ખુલાસો, જાહેર કરાયા એનાથી વધારે લોકોનાં મોત થયાં

    સુપ્રી કોર્ટની ગુજરાત સરકારને ફટકાર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સરકારના ચોપડે નોંધાયેલા કોરોના મૃતકો અને સહાય ચૂકવાઈ હોય તેવા મૃતકોનો આંકડો અલગ-અલગ

    ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોના સહાય માટે તેમની પાસે કુલ 22,557 અરજીઓ આવી હતી. જે પૈકી 16,175 કેસોમાં તેમણે સહાય ચૂકવી છે.

    ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં કોરોના મૃતકોનો સત્તાવાર આંકડો 10,099 છે. જ્યારે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા આંકડામાં સત્તાવાર મૃત્યુ કરતાં 6,076 મોત વધુ દર્શાવવામાં આવ્યાં છે.

    સુનાવણી દરમિયાન ગુજરાતના રાહતકમિશનરે કહ્યું હતું કે, “અત્યાર સુધી અમને કોરોના સહાય માટે કુલ 22,557 અરજીઓ મળી છે. જે પૈકી 16,175 અરજીઓ માન્ય રાખવામાં આવી છે અને આ 16,175 અરજીમાંથી 14,215 અરજીઓ અંતર્ગત રકમ ચૂકવાઈ ગઈ છે.”

  8. વડોદરામાં બાળકીઓનું ધર્માંતરણ કરાવવા અંગે પોલીસમાં ફરિયાદ, શું છે મામલો?

    બાળકીઓનું ધર્માંતરણ કરાવતી હોવાની પોલીસ ફરિયાદ
    ઇમેજ કૅપ્શન, પ્રતિકાત્મક તસવીર

    વડોદરાના મકરપુરા પોલીસસ્ટેશનમાં મધર ટૅરેસા દ્વારા સ્થાપિત મિશનરીઝ ઑફ ચેરિટી વિરુદ્ધ ગુજરાત ધાર્મિક સ્વતંત્રતાના કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.

    ઇન્ડિયન ઍક્સપ્રેસનાં અહેવાલ અનુસાર, વડોદરા જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મયંક ત્રિવેદી અને જિલ્લાની ચાઇલ્ડ વૅલ્ફેર કમિટીના ચૅરમૅન દ્વારા 9 ડિસેમ્બરના રોજ આ સંસ્થા દ્વારા સંચાલિત શૅલ્ટરહૉમની મુલાકાત લેવાઈ હતી.

    એફઆઈઆર મુજબ, મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શૅલ્ટર હૉમમાં રહેતી બાળકીઓને ખ્રિસ્તી ધર્મની સામગ્રી વાંચવા અને ખ્રિસ્તી પ્રાર્થનાઓમાં ભાગ લેવા ફરજ પાડવામાં આવે છે.

    જેની પાછળ ફરજિયાતપણે ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું કાવતરું હોવાની ગંધ આવતાં તેમણે મકરપુરા પોલીસસ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.

    જોકે, ધાર્મિક સંસ્થાએ આરોપો ફગાવી દીધા છે અને બળજબરીપૂર્વકના ધર્મપરિવર્તનનો ઇન્કાર કર્યો છે.

  9. ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને નોર્વેમાં આંશિક લૉકડાઉન

    નોર્વે કોરોનાવાઇરસ લૉકડાઉન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, નોર્વેમાં ઓમિક્રૉન વૅરિયન્ટને લઈને આંશિક લૉકડાઉન

    નોર્વેમાં કોરોના વાઇરસના ઓમિક્રૉન વૅરિયન્ટના અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને આંશિક લૉકડાઉન લાદવાનો અને રસીકરણને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે, નવાં નિયંત્રણો હેઠળ દેશમાં તમામ બાર અને રૅસ્ટોરાંમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    આ સાથે જિમ તેમજ સ્વિમિંગ-પૂલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને શાળાઓ તેમજ ઑફિસો માટે પણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

  10. નાગાલૅન્ડની ઘટના બાદ સરકારે AFSPA હઠાવવા અંગે વિચાર કરવો જોઇએ : ઇરોમ શર્મિલા

    ઇરોમ શર્મિલા
    ઇમેજ કૅપ્શન, ઇરોમ શર્મિલા

    ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાંથી AFSPA હઠાવવા 16 વર્ષ સુધી ભૂખહડતાળ કરનારાં કર્મશીલ ઇરોમ શર્મિલાએ નાગાલૅન્ડમાં બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.

    તેમણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “નાગાલૅન્ડની ઘટના ફરી વખત સાબિત કરે છે કે શા માટે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાંથી AFSPA હઠાવવાની જરૂર છે.”

    તેમના મુજબ, “ક્યાં સુધી સામાન્ય લોકોએ તેનાથી પીડાવાની જરૂર છે. વિદ્રોહ સામે લડવાના નામે તમે લોકોના મૂળભૂત અધિકારો છીનવી ન શકો. વિદ્રોહ સામે લડવા અન્ય કોઈ રસ્તા પણ હોઈ શકે છે.“

    નાગાલૅન્ડમાં 4 ડિસૅમ્બરના રોજ વિદ્રોહીઓ સામેની કાર્યવાહી દરમિયાન 14 નાગરિકો અને 1 જવાનનાં મોત નીપજ્યાં હતાં.

  11. અમેરિકાની એ 'ભૂલ' જેના લીધે ચીન હવે વૈશ્વિક મહાસત્તા બની ગયું

  12. ગુજરાતમાં ઓમિક્રૉનનો ચોથો કેસ, દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા વેપારી સંક્રમિત

    ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દક્ષિણ આફ્રિકાથી સુરત આવેલા હીરાના વેપારી ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત

    ગુજરાતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના શરૂઆતી ત્રણ કેસ જામનગરમાં નોંધાયા હતા. જ્યાર બાદ સોમવારે સુરતમાં ઓમિક્રૉન વૅરિયન્ટનો એક કેસ નોંધાતા ગુજરાતમાં કુલ કેસની સંખ્યા ચાર થઈ છે.

    ઇન્ડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, 42 વર્ષીય હીરાના વેપારી દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા.

    ઍરપૉર્ટ પર તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યા બાદ જ્યારે તેમણે ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટિવ આવ્યો હતો.

    તેમના સૅમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતાં તેઓ ઓમિક્રૉન વૅરિયન્ટનીથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

    સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાધીશોએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ દર્દીએ વૅક્સિનના બંને ડોઝ લીધા છે અને તે નહિવત્ લક્ષણો સાથે હાલમાં ઘરમાં આઇસોલેશનમાં છે.

  13. કાશ્મીરમાં પોલીસની બસ પર ગોળીબાર, 14 પોલીસકર્મી ઘાયલ

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઝેવન વિસ્તારમાં એક પોલીસવાહન પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.

    કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને ઉગ્રવાદી હુમલાની પુષ્ટિ કરી છે.

    જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે.

    આ પહેલાં પોલીસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી, "શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં ઝેવન પાસે ચાર ઉગ્રવાદીઓએ પોલીસના વાહન પર ગોળીબાર કર્યો. હુમલામાં 14 જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે."