બ્રેકિંગ, કાશ્મીરમાં પોલીસની બસ પર ગોળીબાર, 14 પોલીસકર્મી ઘાયલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઝેવન વિસ્તારમાં એક પોલીસવાહન પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને ઉગ્રવાદી હુમલાની પુષ્ટિ કરી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે જાણકારી આપી છે કે હુમલામાં ઘાયલ થયેલા એક એએસઆઈ સહિત બે પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે.
આ પહેલાં પોલીસના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી, "શ્રીનગરના પાંથા ચોક વિસ્તારમાં ઝેવન પાસે ચાર ઉગ્રવાદીઓએ પોલીસના વાહન પર ગોળીબાર કર્યો. હુમલામાં 14 જવાન ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવાયા છે."










