તૌકતે વાવાઝોડું : નરેન્દ્ર મોદી સરકાર ગુજરાતને 1000 કરોડની સહાય કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી મુખ્ય મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજી.

લાઇવ કવરેજ

નમસ્કાર, બીબીસી ન્યૂઝ ગુજરાતી પર આપનું ફરીથી સ્વાગત છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તૌકતે વાવાઝોડાથી તારાજી થઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચશે અને અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે.

અહીં અમે આપને દિવસભર તૌકતે વાવાઝોડા બાદ સર્જાયેલી તારાજી અંગે અન્ય મહત્ત્વના સમાચારો અંગે લેટેસ્ટ અપડેટ આપીશું.

જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.