જૂનાગઢ પંથકની નદીઓ ગાંડીતૂર
તો જૂનાગઢ પંથકમાં અતિભારે વરસાદથી અહીં આવેલી નદીઓ ગાંડીતૂર બની છે.
સૌરાષ્ટ્રની મુખ્ય ગણાતી નદીઓમાંની એક ઓઝત નદીમાં ઘોડાપૂર આવતાં નીચાણવાળા વિસ્તારોને ઍલર્ટ કરાયા છે.
વંથલી ઓઝત ડૅમના ખુલ્લા દરવાજા ઉપરથી 1.40 મિટરનો ઓવરફ્લો થઈ રહ્યો છે.
ભારે વરસાદને કારણે અનેક ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં.
વંથલીના ટીકર ગામે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.