ગુરુવારના રાત્રે 8 વાગીને 45 મિનિટ પર જમ્મુ શહેરથી ઍર રેડ્સની જાણકારી મળવાની શરૂ થઈ હતી. ત્યાર બાદ જમ્મુ, રાજોરી, ચંડીગઢ, અમૃતસર, ધર્મશાળા સહિત કેટલાંક શહેરોમાં બ્લૅકઆઉટ જાહેર કરાયું હતું.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, સરહદ નજીકનાં કેટલાંક રાજ્યોએ બ્લૅકઆઉટનો આદેશ આપ્યો છે અને શાળાઓ તથા શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ પોલીસકર્મીઓ તથા વહીવટી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.
જમ્મુ અને કાશ્મીરમાં સ્કૂલ તથા કૉલેજ સહિત બધાં શિક્ષણ સંસ્થાનોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, પંજાબના શિક્ષણમંત્રી હરજોત સિંહ બૈંસે કહ્યું છે કે સરકારે રાજ્યની શાળાઓ, કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને આવનારા ત્રણ દિવસો સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
રાજસ્થાનમાં શ્રીગંગાનગર પોલીસે રેડ ઍલર્ટ જાહેર કર્યો છે અને બધાને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં સુરક્ષાને જોતાં પગલાં લેવાયાં છે.
પાકિસ્તાન સાથે પંજાબની 532 કિલોમીટર લાંબી સરહદ છે, રાજસ્થાનની સરહદ 1070 કિલોમીટર લાંબી છે અને ગુજરાતની સરહદ 506 કિલોમીટર જેટલી લાંબી છે. પશ્ચિમ બંગાળની સરહદ બાંગ્લાદેશથી 2,217 કિલોમીટર જોડાયેલી છે.