અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે
ફાઇનલ રમાઈ રહી છે.
દરમિયાન સોશિયલ મીડિયામાં ફાઇનલમાં અમ્પાયરિંગ કરી રહેલા રિચર્ડ કેટલબ્રૉ
પર ચર્ચા થઈ રહી છે.
કોઈ તેમને ભારતને માટે અનલકી ગણાવી રહ્યા છે. તો કોઈનું કહેવું છે કે
ભારતીય ટીમે જીત મેળવીને આ તમામ દાવાઓને ખોટા સાબિત કરવા જોઈએ.
અત્યાર સુધીમાં ભારતની ચાર વિકેટ પડી ચૂકી છે.
અય્યર બાદ વિરાટ કોહલી પણ 54 કરીને પેવેલિયન ભેગા થઈ ગયા છે. તો રોહિત
શર્મા 47 અને શુભમન ગિલ માત્ર ચાર રન કરી શક્યા છે.
એવામાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર રિચર્ડ કેટલબ્રૉ સંબંધિત ટ્વીટ
જોવા મળી રહ્યાં છે.
એક યૂઝરે લખ્યું, "ભારત
ક્યારેય નૉટઆઉટ મૅચ જીતી નહીં શકે, કેમ કે
રિચર્ડ કેટલબ્રૉ અમ્પાયર હશે... એ આપણા માટે દુર્ભાગ્યશાળી છે. તે ત્યાં હશે તો
દિલનું તૂટવું નક્કી છે."
અન્ય એક યૂઝરે અન્નાએ લખ્યું કે "ભાઈ, આ રિચર્ડ કેટલબ્રૉનું કોઈ અપહરણ કરી લો, હાલ માટે."
અમિત શારદાએ લખ્યું, "ભારતે જીતવું જોઈએ, જેથી આપણે ભારતની મોટી હાર માટે રિચર્ડ કેટલબ્રૉને દોષ દેવાનું બંધ કરી શકીએ."
જોકે વાસ્તવિકતા એ છે કે રિચર્ડ કેટલબ્રૉએ આઇસીસીના જે મહત્ત્વની મૅચોમાં અમ્પાયરિંગ કર્યું છે, તેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.
વનડે વર્લ્ડકપ 2015ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને હરાવ્યું હતું, કેટલબ્રૉ તે મૅચમાં પણ અમ્પાયર હતા.
ફાઇનલમાં ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબ્રૉ અને રિચર્ડ ઇલિંગવર્થ અમ્પાયરિંગ કરી રહ્યા છે.