આગને ઓલવવા માટે 18થી 19 ફાયરબ્રિગેડની ગાડી કામે લાગી હતી. સુરત ફાયર વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે, ફાયરના 19 બંબાને કામે લગાડવામાં આવ્યા છે.
આ સિવાય બે હાઇડ્રૉલિક પ્લૅટફૉર્મની મદદથી બચાવ અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, તક્ષશિલા કૉમ્પ્લેક્સના ત્રીજો અને ચોથો માળ આગની ઝપેટમાં આવ્યા હતા.
આગ જોવા માટે ઊભા રહી ગયેલા વાહનચાલકોને કારણે રાહત અને બચાવ કામગીરી સાથે સંકળાયેલાં વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થયો હતો. સુરતમાં આગની ઘટનામાં ઈજા પામેલા ઋષિત વેકરિયાની પી. પી. સવાણી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.