લખીમપુર હિંસા : SCના પ્રશ્ન બાદ યુપી પોલીસ સક્રિય થઈ, બે લોકોની અટકાયત

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુપ્રીમ કોર્ટે તિકુનિયા હિંસાની સુનાવણીમાં ઍક્શન ટેકન રિપોર્ટ સમન્સ કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ હરકતમાં આવી છે અને આ મામલે બે લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે.

લખીમપુર ખીરીથી બીબીસીના સંવાદદાતા અંનત ઝણાણેના જણાવ્યા અનુસાર મીડિયા સાથે વાત કરતાં લખનૌ ક્ષેત્રનાં આઈજી લક્ષ્મીસિંહે કહ્યું કે બે લોકોની પૂછપરછ ચાલુ છે અને આ મામલે મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાને પોલીસે સમન્સ મોકલ્યા છે.

લખીમપુર ખીરી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES

ઘટનાસ્થળેથી બે કારતૂસ મળી હોવાના સમાચારોને IG લક્ષ્મીસિંહે ફગાવ દીધા છે અને કહ્યું છે, "પોલીસની ફૉરેન્સિક અને ટેકનિકલ ટીમ તિકુનિયામાં કૉમ્બિંગ ઑપરેશન કરીને તમામ પુરાવા એઠકા કરી રહી છે."

હત્યાના આરોપી આશીષ મિશ્રા તપાસમાં સહકાર આપી રહ્યા છે કે કેમ એ અંગે પૂછતાં આઈજીએ જણાવ્યું કે "સમન્સ મોકલાયા છે અને જો તેઓ સહકાર નહીં આપે તો પોલીસ કોર્ટમાં જશે."

જે સો લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે એમનાં નામ હજુ સામે નથી આવ્યાં.

જોકે, આઈજી લખનૌનું કહેવું છે કે તેમનાં નિવેદનોમાંથી અન્ય ત્રણ આરોપીઓની ભૂમિકા અંગે જાણકારી મળી છે. જોકે, એ ત્રણેય લોકોનાં આ હિંસામાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

line

પાકિસ્તાનમાં ભૂકંપથી કમસે કમ 20 લોકોનાં મોત, સેંકડો લોકો બેઘર

ભૂકંપ

ઇમેજ સ્રોત, YAZDANI TAREEN

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ગુરુવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયાં છે.

અધિકારીઓએ બીબીસીને આ માહિતી આપી છે અને આપદા પ્રબંધન અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં ભૂકંપ બાદ ક્વેટા શહેરમાં લોકો રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

શરૂઆતના અહેવાલો અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.7 રિક્ટરની માનવામાં આવે છે.

એક સરકારી અધિકારીનું કહેવું છે કે ઇમારતો ધરાશાયી થતા લોકોનાં મોત થયાં છે.

સ્થાનિક અધિકારીઓએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે કમસે કમ 150 લોકો ઘાયલ થયા છે, જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને હૉસ્પિટલ લઈ જવાયા છે.

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં સ્થાયી અફઘાની શરણાર્થીઓ પર અનિશ્ચિતતાનું જોખમ GLOBAL

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકો સામેલ છે. એક અધિકારીએ એજન્સીને જણાવ્યું કે 100થી વધુ માટીનાં ઘર પડી ગયાં છે અને મોટી સંખ્યામાં ઇમારતોને નુકસાન થયું છે, સેંકડો લોકો બેઘર થઈ ગયા છે.

અધિકારીઓ અનુસાર, સૌથી વધુ નુકસાન હરનાઈ જિલ્લામાં થયું છે. રાજધાની ક્વેટાના પૂર્વમાં આવેલા હરનાઈમાં મોટી સંખ્યામાં કોલસાની ખાણો છે.

બલૂચિસ્તાનના ગૃહમંત્રી મીર ઝિયાઉલ્લાહ લાંગુએ બીબીસીને જણાવ્યું કે વિસ્તારમાં આપાતકાલીન મદદ મોકલી દેવાઈ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો