You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુદાન : ફેકટરીમાં બ્લાસ્ટ થતાં 23 લોકોનાં મૃત્યુ, મૃતકોમાં અનેક ભારતીય
સુદાનની રાજધાની ખાર્તુમમાં એક સિરામિક ફેકટરીમાં એલપીજી સિલિન્ડરને લીધે થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 23 લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનામાં 130 લોકો ઘાયલ થયા હોવાની ખબર છે.
આ ફેકટરીમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો કામ કરતા હતા.
વિદેશમંત્રી એસ. જયશંકરે આ ઘટનાની પૃષ્ટિ કરી છે. જોકે, હજી સુધી બ્લાસ્ટમાં કેટલા ભારતીય લોકોનાં મૃત્યુ થયાં છે તે નથી જાણી શકાયું.
ખાર્તુમસ્થિત ભારતીય દૂતાવાસે એની વેબસાઇટ પર જાણકારી આપી છે અને એ મુજબ લાપતા લોકોમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હોય એમ પણ હોઈ શકે છે.
દૂતાવાસે જાહેર કરેલી માહિતી મુજબ અત્યાર સુધી 16 ભારતીયો લાપતા છે.
7 ભારતીયોને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને 3 લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
ભારતીય દૂતાવાસે એમ પણ કહ્યુ કે કંપનીમાં કામ કરનારા 34 ભારતીયો સુરક્ષિત છે.
વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે સુદાનની રાજધાની ખાર્તુમમાં સિરામિક ફેકટરીમાં થયેલા મોટા વિસ્ફોટની માહિતી મળી છે. આ ઘટનાથી હું ખૂબ વ્યથિત છું. મૃતકોમાં કેટલાક ભારતીયો પણ છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો