પ્રણવ મુખરજી : પૂર્વ રાષ્ટ્રપતિ વૅન્ટિલેટર પર, સતત બીજા દિવસે ચિંતાજનક સ્થિતિ

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત નાજુક છે. તેઓ સોમવારે સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.
સમાચાર સંસ્થા એએનઆઈ દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફર્રલ હૉસ્પિટલને ટાંકીને લખે છે, "પૂર્વ રાષ્ટ્રપ્રમુખ પ્રણવ મુખરજીની આરોગ્યની સ્થિતિ ચિંતાજનક છે. હાલમાં તેમની સ્થિતિ હેમોડાયનેમિકલી સ્ટૅબલ છે અને તેઓ વૅન્ટિલેટર છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આર્મીની રિસર્ચ ઍન્ડ રેફરલ હૉસ્પિટલે કહ્યું કે તેમને 10 ઑગસ્ટે હૉસ્ટિલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મગજમાં ભરાયેલાં એક બ્રેઇન ક્લૉટનું ઇમરજન્સી ઑપરેશન કરવું પડ્યું હતું જે જીવ બચાવવા માટે જરૂરી હતું.
મંગળવારે હૉસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતુ કે તેમની તબિયતમાં સુધારો થતો જોવા મળી રહ્યો નથી અને તેમનું આરોગ્ય ખરાબ છે. તે હાલ તો વૅન્ટિલેટર સપોર્ટ પર છે. તેમનું સ્વાસ્થ્ય હાલ પણ ચિંતાજનક છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
પૂર્વ રાષ્ટ્રપતિએ સોમવારને તારીખ 10 ઑગસ્ટે પોતે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે તે કોઈ બીજી સારવાર માટે ગયા હતા જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પણ થયો જેમાં તે પૉઝિટિવ આવ્યા હતા.

ભગવાન તેમના માટે જે સારુ હોય એ કરશે- શર્મિષ્ઠા મુખરજી
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના દીકરી શર્મિષ્ઠા મુખરજીએ બુધવારે સવારે પોતાના પિતા માટે ટ્વિટર પર ભાવનાત્મક સંદેશ લખ્યો. તેમણે લખ્યું કે ભગવાન તેમના માટે યોગ્ય રસ્તો પસંદ કરશે અને આગળ જે થશે, તેના માટે તેમને (શર્મિષ્ઠા)ને હિંમત આપશે.
દીકરી શર્મિષ્ઠાએ પ્રણવ મુખરજી માટે પ્રાથના કરતા એક વર્ષ જુની વાતોને પણ યાદ કરી. તેમણે ટ્વીટ કર્યું કે ગત વર્ષે આ સમયે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનવામાં આવ્યા હતા અને આ વર્ષે તે ગંભીર રીતે બીમાર છે.
શર્મિષ્ઠાએ ટ્વીટમાં લખ્યું, "ગત વર્ષે 8 ઑગસ્ટનો દિવસ મારી જિંદગીનો સૌથી ખુશીના દિવસમાંથી એક હતો, જ્યારે મારા પિતાને ભારત રત્ન મળ્યો. ત્યારે એક વર્ષ પછી 10 ઑગસ્ટે તે ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ભગવાન તેમના માટે સારું કરે અને મને જિંદગીના સુખ-દુખ સ્વીકાર કરવાની તાકાત આપે. હું પણ આભાર માનું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















