કોરોના વાઇરસ : રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની કામગીરી વિશે કરેલી ટિપ્પણી બાદ શું વિવાદ થયો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વીડિયો કૉન્ફરન્સથી પત્રકારપરિષદ યોજી, તેમણે કહ્યું કે તેઓ નરેન્દ્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતોથી સંમત નથી પરંતુ આ સમય સરકાર અને વિપક્ષ વચ્ચેની લડાઈનો નથી પરંતુ આ સમય કોરોના વાઇરસથી લડવાનો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનું કામ સરકારને સૂચનો કરવાનું છે, તેમના સૂચન માનવા કે ન માનવા એ સરકારના હાથમાં છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું આર્થિક પૅકેજને અપૂરતું છે.

રાહુલ ગાંધીએ ઉમેર્યું, "લૉકડાઉનથી થોડી વખત વાઇરસને પૉઝ કરી શકાશે પંરતુ લૉકડાઉનથી વાઇરસને હરાવી નહીં શકાય. લૉકડાઉન ઉઠાવશો તો વાઇરસ પોતાનું કામ ફરી શરૂ કરી દેશે."

ટેસ્ટિંગ પર ભાર મૂકતાં રાહુલ ગાંધીએ કહ્યું કે "દેશની કુલ સરેરાશ ટેસ્ટિંગ પ્રતિજિલ્લા 350 જેટલી પણ નથી."

તેમણે આગળ કહ્યું કે "સરકારે મહત્તમ ટેસ્ટિંગ કરે અને તે પણ ખાસ રણનીતિથી કરવું જોઈએ. ટેસ્ટિંગ લેવલ ઓછું થઈ રહ્યું છે અને કોઈ રણનીતિ વગર થઈ રહ્યું છે."

''લૉકડાઉન પછી ઍક્ઝિટ રણનીતિ શું હશે એ નક્કી કરવું પડે અને એમાં વાર ન થવી જોઈએ.''

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કોરોના વાઇરસ સામેની લડતમાં વિજયની જાહેરાત કરવામાં ઉતાવડ ન કરવી જોઈએ કારણકે આ લાંબી લડત છે.

સોશિયલ મીડિયામાં ચર્ચા

લૉડાઉન બાબતે રાહુલ ગાંધીના નિવેદન પર સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

ટ્વિટર પર વિકાસ ત્રિપાઠી નામના એક યૂઝરે લખ્યું કે રાહુલ ગાંધીએ કહ્યું કે લૉકડાઉન કોઈ સમાધાન નથી. ત્યારે તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટથી કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવવાનો ખતરો છે.

એક અન્ય યૂઝરે સિદ્ધાર્થે લખ્યું કે રાહુલ ગાંધીએ સ્ટ્રૅટેજી શબ્દ 2014 અને 2019ની ચૂટણીમાં કૉંગ્રેસ દ્વારા જીતવામાં આવેલી કુલ બેઠકો કરતાં પણ વધારે વખત વાપર્યો હતો. જે વિષય પર બોલી રહ્યા છો તેનું જ્ઞાન હોવું જરૂરી છે. માત્ર વિષય બાબતે એક બે શબ્દ જે તમને બીજે શીખવાડ્યા હોય તે ન બોલો. સ્ટૅન્ડ અપ (કૉમેડી) માટે પૂરા માર્ક્સ.

ત્યારે નિશા શર્મા નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું કે રાહુલ ગાંધી ભારતીયોના હૃદય ને ઓળખે છે. તેમને ખબર હતી કે લૉકડાઉનમાં લોકો બોર થઈ રહ્યા છે એટલે તેમણે મનોરંજન માટે આ પત્રકારપરિષદ કરી હતી.

ત્યારે કેટલાક લોકોનું કહેવું હતું કે રાહુલ ગાંધીના નિવેદનને તોડી મરોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

વિદુષી નામનાં એક ટ્વિટર યૂઝરે એક સમાચાર ચેનલનો એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે રાહુલ ગાંધીએ બહુ રચનાત્મક સૂચનો કર્યાં છે, તેને હળવાશથી ન લેવા જોઈએ. તેમણે કહ્યું કે લૉકડાઉન કોઈ સમાધાન નથી, ટેસ્ટિંગને મોટાપાયે વધારવાની જરૂર છે. લૉકડાઉનનો સમય ટેસ્ટિંગ વધારવાના કામમાં લેવો જોઇએ.

'વડા પ્રધાનમાં હિંમત છે?'

એ સિવાય અમુક લોકો રાહુલ ગાંધીની તરફેણમાં પણ કૉમેન્ટ કરી રહ્યા છે.

વૈશાલી સિંહ નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું કે લૉકડાઉનથી વાઇરસ હરાવી નહીં શકાય. તેનાથી તેને ફેલાતો રોકી શકાશે. ટેસ્ટિંગ જ કોરોના વાઇરસના સંક્રમણને રોકવાનો ઉપાય છે.

તેઓ આગળ લખે છે કે આખરે કોઈ તો સમજદારીની વાત કરી રહ્યું છે.

કીર્તિ દેવલકર નામનાં એક ટ્વિટર યૂઝરે રાહુલ ગાંધી દ્વારા વીડિયો પર પત્રકારપરિષદને સંબોધવા પર લખ્યું કે આ તો વડા પ્રધાન મોદીએ કરવું જોઈએ. પરંતુ જો એ કરે તો દર અઠવાડિયે ઉપદેશ કોણ આપશે?

અમુક લોકોએ રાહુલ ગાંધીની પત્રકારપરિષદને બિરદાવતા લખ્યું કે વડા પ્રધાન મોદીમાં રાહુલ ગાંધીની જેમ પત્રકાર પરિષદ કરવાની હિંમત છે?

જાસ્મીન સંગાણીએ લખ્યું તમે ઇટાલી વિશે વાત કરો, લૉકડાઉનના 23 દિવસ પછી તમને બોલવાનો કોઈ અધિકાર નથી.

ત્યારે ઉમા અર્જુન નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું કે તેમને બધા પ્રશ્નો પહેલાંથી આપી દેવામાં આવ્યા હતા એટલે તેમને સ્ટ્રૅટેજિકલી વિચારવાનો સમય મળી ગયો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો