અયોધ્યા : સુપ્રીમ કોર્ટમાં થયેલી પહેલી રિવ્યૂ પિટિશનમાં આ માગણી કરાઈ છે

પ્રતીકાત્મક

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદાને પડકારવામાં આવ્યો છે.

સોમવારે સુપ્રીમ કોર્ટમાં જમિયત-ઉલેમા-એ-હિંદે રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.

આ કેસમાં મૂળ પક્ષકાર એમ સિદ્દિકના પુત્ર અને મૌલાના સૈયદ અશદ રાશિદે આ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે.

અયોધ્યામાં જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે 9 નવેમ્બરે સર્વાનુમતે ફેંસલો આપ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એ સમયના દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વમાં આગામી મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ તથા જસ્ટિસ અબ્દુલ નઝીરની બેન્ચે ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ફેંસલામાં વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવાનો અને જ્યારે સરકારને મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ રચવાનો આદેશ આપ્યો હતો.

આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.

અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર અનેક વિરોધની ટિપ્પણીઓ થઈ હતી.

વીડિયો કૅપ્શન, નવેમ્બર 4થી 15, 2019 દરમિયાન ગમે તે દિવસે ચુકાદો આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

શું કહેવાયું છે રિવ્યૂ પિટિશનમાં?

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

રિવ્યૂ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે દરેક પક્ષકારો વચ્ચે સમતુલા સાધવામાં હિંદુ પક્ષકારે કરેલી ગેરરીતિને નજરઅંદાજ કરી છે અને મુસ્લિમ પક્ષકારને 5 એકર જમીન આપવાનું કહ્યું છે જેની માગણી જ નહોતી.

પિટિશનમાં 5 જજોની બેન્ચે આપેલા ચુકાદાનાં એ 3 બિંદુઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે જેમાં ઐતિહાસિક ભૂલોની વાત છે અને ચુકાદો એનાથી અલગ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં કહ્યું હતું કે વિવાદિત સ્થળે પહેલાં મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે એના કોઈ ચોક્કસ પુરાવાઓ નથી.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 1949માં અંદર મૂર્તિની સ્થાપના કરવી તે ખોટું હતું.

એ જ રીતે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે 6 ડિસેમ્બર 1991ના રોજ વિવાદિત બાબરી મસ્જિદને તોડી પાડવી એ ખોટું હતું.

આ 3 બાબતોનો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિવ્યૂ પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આ ભૂલો પર સજા કરવાને બદલે એમને આખી જમીન આપી દેવામાં આવી છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આ બાબતોને લઈને સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદાની ફેરવિચારણા કરવી જોઈએ.

આમાં વધારે વિગતો ઉમેરાઈ રહી છે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો