જોશીમઠમાં ધસી રહેલાં ઘરો વચ્ચે લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે?
જોશીમઠમાં ધસી રહેલાં ઘરો વચ્ચે લોકો કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે?
પ્રકાશિત
બદ્રીનાથ, ઔલી, વેલી ઓફ ફ્લાવર અને હેમકુંડ જેવાં સ્થળોનું દ્વાર ગણાતા જોશીમઠનું ભવિષ્ય શું છે?
ઘર તૂટ્યાં છે. આપદાગ્રસ્ત લોકોને સરકાર તરફથી મદદની આશા છે અને તેમના મનમાં પોતાના તથા જોશીમઠના ભાવિ બાબતે સંખ્યાબંધ સવાલ છે.
આપદા વિકરાળ બનતી જાય છે. જોશીમઠ છોડવાનું દર્દ એટલું મોટું છે કે પેઢીઓથી અહીં રહેતા લોકોના આંખમાં આસું છે. પોતાના આશિયાનાને છોડવું પડે તેનાથી મોટું દર્દ બીજું કયું હોઈ શકે.
લગભગ 20,000 લોકોની વસ્તીવાળા જોશીમઠમાં તિરાડો પડવી તે જૂની વાત છે, પરંતુ જમીન તથા દીવાલો ફાટવાની તાજેતરની ઘટનાનાં દૃશ્યો ડરામણાં છે.
વીડિયો : વિનીત ખરે





