You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છના અગરિયાઓ અને ખેડૂતોની કહાણી જેઓ ઘુડખરને પરિવારના સભ્ય માને છે
ભારતમાં ઘુડખર માત્ર ગુજરાતના કચ્છના નાના રણમાં જોવા મળે છે. અહીં તેને શિડ્યુલ –1 પ્રાણી તરીકે અનામતત કરવામાં આવ્યું છે.
દર પાંચ વર્ષે ઘુડખરૉની ગણતરી કરવામાં આવે છે. ઘુડખરને દોડવા માટે ખુલ્લા મેદાનની જરૂરિયાત હોવાથી ખુલ્લું, વિશાળ રણ જ તેને તેના અસ્તિત્વ માટે યોગ્ય પરિસ્થિતિ આપી શકે છે.
1969માં ઘુડખરની વસ્તી માત્ર 362 પર પહોંચી ગઈ હતી. એ પહેલાં સીરિયન ઘુડખર તો સંપૂર્ણ વિલુપ્ત પણ થઈ ચૂક્યાં હતાં. તેમનો વિસ્તાર પણ ઘટવા પામ્યો હતો.
ગુજરાત સરકારે કરેલી 10મી વાઇલ્ડ એસ પૉપ્યુલેશન ઍસ્ટિમેશન પ્રમાણે ગુજરાતમાં તેની અંદાજિત સંખ્યા 7672 આંકવામાં આવી છે તથા 1976 પછી તે સતત વધી રહી છે.
એક તરફ જ્યારે દુનિયાભરમાં જંગલી પ્રાણીઓ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ જોવા મળે છે, ત્યારે ગુજરાતમાં ઘુડખરની વધી રહેલી વસ્તી એ જંગલી પ્રાણીઓ અને લોકો સાથેના સહજીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન