થંભી ગયેલું ચોમાસું આ તારીખથી આગળ વધશે, ગુજરાતમાં કયારે આવશે?

થંભી ગયેલું ચોમાસું આ તારીખથી આગળ વધશે, ગુજરાતમાં કયારે આવશે?
પ્રકાશિત

ભારતના હવામાન વિભાગે પોતાની તાજેતરની આગાહીમાં ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં વરસાદની શક્યતા અંગે માહિતી આપી છે.

હવામાન વિભાગે 20 જૂનના રોજ જાહેર કરેલા બુલેટિનની માહિતી પ્રમાણે નૈઋત્ય ચોમાસું આગામી 23 જૂન સુધી મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગો સુધી આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિ છે.