પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફને ક્રિકેટ જગતના 21 પૂર્વ કૅપ્ટનોએ પત્ર કેમ લખ્યો? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Serhat Cagdas/Anadolu via Getty Image
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના સ્વાસ્થ્યને લઈને ક્રિકેટ જગતના 21 પૂર્વ કૅપ્ટનોએ પીએમ શહબાઝ શરીફને પત્ર લખ્યો છે.
પૂર્વ કૅપ્ટનોએ ઇમરાન ખાનને યોગ્ય આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
ક્રિકઇન્ફોના જણાવ્યા મુજબ, પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને હૉસ્પિટલમાં લઈ જઈ મેડિકલ બોર્ડ દ્વારા તેમની તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બોર્ડમાં ઇમરાન ખાનના ખાનગી ડૉક્ટરો સાથે તેમનાં બહેન ડૉ. ઉઝમા ખાનને પણ સામેલ કરવાનાં હતાં. અદાલતે તેમના પરિવાર સાથેની સાપ્તાહિક મુલાકાતો પણ ફરી શરૂ કરી હતી.
પૂર્વ કૅપ્ટનોએ દાવો કર્યો કે ઇમરાન ખાનને હૉસ્પિટલમાં માત્ર થોડા કલાકો માટે જ રાખવામાં આવ્યા હતા. તેમની તપાસ અદાલતના નિર્દેશ મુજબ રચાયેલા મેડિકલ બોર્ડના બદલે સરકાર દ્વારા નિમાયેલી ટીમે કરી હતી. ટીમે તેમને 'મેડિકલી ફિટ' જાહેર કરીને ફરી અદિયાલા જેલમાં મોકલી દીધા હતા.
આ વડા પ્રધાન શહબાઝ શરીફને પૂર્વ કૅપ્ટનો દ્વારા મોકલાયેલો બીજો પત્ર છે. આ પહેલાં આ જ વર્ષે ફેબ્રુઆરીમાં 14 પૂર્વ કૅપ્ટનોએ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં પત્ર લખ્યો હતો. તે સમયે ઇમરાન ખાનના પરિવારે દાવો કર્યો હતો કે આંખની સમસ્યાને કારણે તેમની એક આંખની દૃષ્ટિ લગભગ સંપૂર્ણપણે જતી રહી છે અને જેલમાં તેમને યોગ્ય સારવાર મળી રહી નથી.
આ 21 કૅપ્ટનોએ લખ્યો પત્ર
માઇકલ આથર્ટન, ઍલેક્સ બ્લૅકવેલ, ઍલન બૉર્ડર, માઇકલ બ્રિયરલી, ગ્રેગ ચૅપલ, ઇયાન ચૅપલ, બૅલિન્ડા ક્લાર્ક, ઍલિસ્ટર કુક, સુનીલ ગાવસ્કર, લી જર્મન, ઍડમ ગિલક્રિસ્ટ, ડૅવિડ ગૉવર, કિમ હ્યુઝ, નાસિર હુસૈન, ક્લાઇવ લૉયડ, કપિલ દેવ, અર્જુના રણતુંગા, ઍન્ડ્રુ સ્ટ્રૉસ, દિલીપ વેંગસરકર, સ્ટીવ વૉ અને જૉન રાઇટ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપમાંથી બહાર

ઇમેજ સ્રોત, Bas CZERWINSKI / ANP / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય મહિલા હૉકી ટીમ વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્થાન બનાવી શકી નથી. નેધરલૅન્ડ્સના એમસ્ટેલવીનમાં આવેલા વેગનર હૉકી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મૅચ 0-0થી ડ્રૉ રહી હતી.
ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે આ મૅચમાં જીત નોંધાવવી જરૂરી હતી, પરંતુ ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી. જ્યારે ઑસ્ટ્રેલિયાએ ડ્રૉ બાદ ટૉપ-4માં સ્થાન મેળવી લીધું.
આ સતત ત્રીજી મૅચ છે, જેમાં ભારતીય ટીમ ગોલ કરી શકી નથી. આ પહેલાં નેધરલૅન્ડ્સે ભારતને 0-2થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લૅન્ડ સામેની મૅચ પણ 0-0થી ડ્રૉ રહી હતી.
ભારત તરફથી છેલ્લો ગોલ 18 ઑગસ્ટે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં આવ્યો હતો. તે મૅચમાં ભારતીય ટીમે 6-1થી જીત નોંધાવી હતી.
ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓ નેધરલૅન્ડ્સ અને ચીન વચ્ચેની મૅચના પરિણામ પર પણ નિર્ભર હતી. નેધરલૅન્ડ્સે ચીનને 4-1થી હરાવીને ભારત માટે સમીકરણ સરળ બનાવી દીધું હતું. આવી સ્થિતિમાં ઑસ્ટ્રેલિયા સામે જીત હાંસલ કરવાથી ભારતીય ટીમ ટૉપ-4માં પહોંચી જાત.
નોંધનીય છે કે ઑસ્ટ્રેલિયા સામે ડ્રૉ બાદ ભારત, ઑસ્ટ્રેલિયા અને ચીનના ખાતામાં 2-2 અંક રહ્યા. ગોલ અંતરના મામલે પણ ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ બરાબરી પર રહી. જોકે, ઑસ્ટ્રેલિયાએ વધુ ગોલ કર્યા હતા, જેના આધારે તેને સેમિફાઇનલમાં સ્થાન મળી ગયું.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















