નિવૃત્તિની વયે ઘર ચલાવવા પાણીપુરી વેચતાં ગાંધીનગરનાં દાદા-દાદી

નિવૃત્તિની વયે ઘર ચલાવવા પાણીપુરી વેચતાં ગાંધીનગરનાં દાદા-દાદી
પ્રકાશિત

'દાદા-દાદી પકોડી સેન્ટર'ના નામે ગાંધીનગરમાં સ્ટીલના પ્લૅટફૉર્મ પર પાણીપુરી વેચતાં વયોવૃદ્ધ હેમુભાઈ પ્રજાપતિ અને નીતાબહેન પ્રજાપતિ અને તેમની આસપાસ પાણીપુરી રસિકો, આ નજારો અહીંના રહેવાસીઓ માટે રોજની બાબત હોવા છતાં કુતૂહલનો વિષય બન્યો છે.

આ દાદા-દાદી જણાવે છે કે તેમને ઘણા લોકો આરામ કરવાની ઉંમરે પાણીપુરી વેચવા પાછળનું કારણ પૂછે છે.

જેના જવાબમાં તેઓ કહે છે કે, “નવરા બેઠા રહેવું અને ખોટો સમય પસાર કરવો એના કરતાં આ પ્રવૃત્તિ થકી પૈસા કમાવવાની સાથોસાથ રોજ નવા લોકોને મળવાની તક મળે છે.”

જુઓ, ઘર ચલાવવા સહિત પ્રવૃત્તિમય જીવન જીવવા માટે પાણીપુરી વેચતાં દાદા-દાદીની કહાણી