અમદાવાદમાં નવરાત્રીની ચણિયાચોળી ક્યાં બને છે અને તેની અવનવી ડિઝાઇન કોણ નક્કી કરે છે?

અમદાવાદમાં નવરાત્રીની ચણિયાચોળી ક્યાં બને છે અને તેની અવનવી ડિઝાઇન કોણ નક્કી કરે છે?
પ્રકાશિત

નવરાત્રીના તહેવારમાં ગુજરાતમાં દેશ-વિદેશથી લોકો ગરબે ઘૂમવા માટે આવે છે. ગરબામાં દરરોજ નવી નવી ડિઝાઇનોના ચણિયાચોળી પહેરીને લોકો ગરબે ઘૂમે છે.

આ ચણિયાચોળી બનાવવાને કારણે અનેક મહિલાઓને રોજગારી પણ મળે છે.

આખું વર્ષ તેઓ ચણિયાચોળી બનાવવાના કામમાં લાગી જાય છે.

આ વિવિધ પ્રકારની ચણિયાચોળી કેવી રીતે બને છે અને તેમાં કેટલા દિવસ લાગે છે? તેમાં દર વર્ષે કેવી રીતે અવનવી ડિઝાઇનો ઉમેરવામાં આવે છે?

મહિલાઓને તેમાંથી કેટલી રોજગારી મળે છે?

જાણો ચણિયાચોળી વિશેની અવનવી વાતો બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના આ અહેવાલમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.