ગુજરાત: શીતલહેર શું છે, અચાનક તાપમાન કેમ ઘટી જાય?

ગુજરાત: શીતલહેર શું છે, અચાનક તાપમાન કેમ ઘટી જાય?
પ્રકાશિત

હવામાનખાતા દ્વારા ગુજરાતના અમુક શહેરોમાં કૉલ્ડવૅવ કે શીતલહેરની આગાહી કરવામાં આવી છે.

ચોક્કસ સંજોગોમાં ગુજરાતમાં અચાનક જ તાપમાન ગગડી જાય છે અને ભારે ઠંડી અનુભવાય છે.

ભારે ઠંડીના મોજાંને કારણે સામાન્ય જનજીવન ઠૂંઠવાઈ જતું હોય છે. જેની અસર સામાજિક અને આર્થિકપ્રવૃત્તિઓ ઉપર પડે છે. પરિવનક્ષેત્રે પણ તેની ભારે અસર જોવા મળે છે.

ત્યારે જાણો કે કૉલ્ડવૅવ કે શીત લહેર શું છે અને તે કેવા સંજોગોમાં ઉદ્દભવે. એક જગ્યાએ હવામાનનો પારો જે આંકને સ્પર્શે અને 'કૉલ્ડવૅવ' કહેવાય, પરંતુ એટલું જ તાપમાન અન્ય વિસ્તારમાં હોય, તો પણ તેને શીતલહેર ન કહેવાય, એવું પણ બને.

આવું શા માટે બને તે આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.