ઉત્તરાખંડ : ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકી

વીડિયો કૅપ્શન, Uttarakhand : ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકી
ઉત્તરાખંડ : ચારધામ યાત્રાએ ગયેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, બસ ખીણમાં ખાબકી
ઉત્તરાખંડમાં ગુજરાતી યાત્રાળુઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

ગંગોત્રીની જાત્રા કરીને પરત ફરી રહેલી ગુજરાતી શ્રદ્ધાળુઓ સાથેની ખાનગી બસ રવિવારે બપોરે ચારેક વાગ્યા આસપાસ ગંગનાની પાસે ખીણમાં ખાબકી હતી, જેના કારણે સાત લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 27 અન્ય ઘાયલ થયા છે.

ઉત્તરાખંડ સરકારે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ કામમાં કેન્દ્રીય એજન્સીઓ પણ મદદ કરી રહી છે.

ઘાયલોની તાત્કાલિક સારવાર માટે તથા મૃતદેહોને ગુજરાત લાવવા માટે ગુજરાત સરકારે ત્યાંની ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે.

મોટા ભાગના શ્રદ્ધાળુઓ ભાવનગર, પાલિતાણા, તળાજા અને ત્રાપજના હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.

રવિવારે બપોરે ચાર વાગ્યાને પાંચ મિનિટ આસપાસ ગુજરાતી મુસાફરોની બસ (યુકે- 07 પીએ-8585) ગંગોત્રીધામથી પરત ફરી રહી હતી ત્યારે ગંગોત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગંગનાની ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈને ખીણમાં ખાબકી હતી.