Gujarat Weather : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકારે જે સહાયની જાહેરાત કરી તે કયા ખેડૂતોને નહીં મળે?

Gujarat Weather : કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન સામે સરકારે જે સહાયની જાહેરાત કરી તે કયા ખેડૂતોને નહીં મળે?
પ્રકાશિત

ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદ બાદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે.

મંગળવારે સર્વે શરૂ કરવાના આદેશ આપવાની સાથે સાથે નુકસાન થયેલા પ્રતિ હૅક્ટર દીઠ ખેડૂતને 6,800 સહાય પેટે આપવામાં આવશે... જો તેમની નુકસાની 33 ટકા જેટલી હોય અને પ્રતિ ખેડૂત બે હૅક્ટર સુધીની અપર લિમિટ પ્રવાધાનમાં બંધ બેસતી હોય તો...

જોકે આવા નુકસાન ગયેલા પાકોમાં તેમણે માત્ર કપાસ, એરંડા અને તુવેરની જ વાત કરી છે, કારણકે તેમના મતે આ પાકોની કાપણી બાકી હતી. જે પાક લગભગ 20 લાખ હૅક્ટરમાં ઊભો હતો.