ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો
ગુજરાત: ક્રિસમસ સમયે વાતાવરણમાં આવશે કેવો પલટો
પ્રકાશિત
ઉત્તર ભારતમાં હળવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઊભું થયું છે, જે આગળ વધી જશે. જેની અસર ઉત્તર ભારતના વાતાવરણના પારા ઉપર જોવા મળશે.
આ સિવાય ગુજરાતમાં પણ આગામી દિવસો દરમિયાન તેની અસર જોવા મળશે.
આ ગાળામાં રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચેના તફાવતમાં ઘટાડો થશે એવું અનુમાન છે.
ભારતના અંદમાન નિકોબાર પાસે લૉ-પ્રેશર ઊભું થયું છે, જે તામિલનાડુથી અરબ સાગર તરફ આગળ વધવાને બદલે પૂર્વ તરફ જમીનીવિસ્તારમાં આગળ વધશે.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



