ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા કેમ થઈ?

ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા કેમ થઈ?
પ્રકાશિત

રાજપીપળાની કોર્ટે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આઠ અન્ય લોકોને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. આ આઠ લોકોમાં તેમનાં પત્ની પણ સામેલ છે.

વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકાવવાના મામલામાં તેમને સજા ફટકારવામાં આવી હતી.

આ સજાના એલાન પછી ચૈતર વસાવાનું ધારાસભ્યપદ પણ જઈ શકે છે, કારણ કે તેમને સાત વર્ષની સજા થઈ છે.

30 ઑક્ટોબર, 2023ના રોજ બનેલી આ ઘટનામાં ચૈતર વસાવા પર ગંભીર આરોપો હતા. ચૈતર વસાવા પર માર મારવો, ધમકી આપવી, હવામાં ગોળીબાર કરવો, ખંડણી ઉઘરાવવી જેવા આરોપો હતા.

સરકારી વકીલે કહ્યું છે કે, ચૈતર વસાવા સહિત તમામ નવ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડાશે. જ્યારે ચૈતર વસાવાના વકીલે કહ્યું છે કે તેઓ હાઇકોર્ટમાં અપીલ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન