પહલગામ હુમલો : '10 મિનિટ મોડાં પડ્યાં ને બચી ગયાં', ગુજરાતી પરિવાર સાથે શું થયું હતું?

વીડિયો કૅપ્શન, 'અમારી 10 મિનિટ અમારા માટે જીવ બચાવનારી પુરવાર થઈ' કાશ્મીરથી પરત ફરેલાં પ્રવાસીઓએ પહલગામ હુમલા સમયે શું જોયું?
પહલગામ હુમલો : '10 મિનિટ મોડાં પડ્યાં ને બચી ગયાં', ગુજરાતી પરિવાર સાથે શું થયું હતું?
પ્રકાશિત

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે ચરમપંથી હુમલો થયો હતો, જેમાં 26 લોકોનાં મોત થયાં હતાં. મૃત પર્યટકોમાં ત્રણ ગુજરાતી પણ હતા.

એ સમયે ભરૂચનો દવે પરિવાર પણ પહલગામમાં જ હતો અને બેસરન વૅલી જવા નીકળ્યો હતો.

જોકે રસ્તામાં એક સ્થળે ઊભો રહ્યો, જ્યાં તેમની દસેક મિનિટ બગડી હતી, જેના કારણે જીવ બચી ગયો હોવાનો તેમનો દાવો છે.

શું થયું હતું, તેમની સાથે જાણો આ વીડિયોમાં.

પહલગામ હુમલો, 26નાં મૃત્યુ, જમ્મુ-કાશ્મીર, બીબીસી ગુજરાતી,
ઇમેજ કૅપ્શન, સંધ્યાબહેન દવે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન