સુરત : જે બ્રેઇનડેડ માતા પાસેથી અંગદાન મેળવ્યું, તેમની જ દિકરીનું માતા બની કન્યાદાન કર્યું

સુરત : જે બ્રેઇનડેડ માતા પાસેથી અંગદાન મેળવ્યું, તેમની જ દિકરીનું માતા બની કન્યાદાન કર્યું
પ્રકાશિત

સુરતમાં 4 વર્ષ પહેલાં કિરણબહેનનું બ્રેનહેમરેજના લીધે મોત થયું હતું. તેમના પરિવારજનોએ તેમનું અંગદાન કર્યું હતું.

કિરણબહેનની કિડની અમદાવાદના જ્યોત્સનાબહેનને દાન મળી હતી.

જોકે કિરણબહેનનાં દીકરી ક્રિષ્નાનાં લગ્ન સમયે કન્યાદાન માટે જ્યોત્સનાબહેન આવ્યાં અને તેમણે ક્રિષ્નાનાં માતા બની તેમનું કન્યાદાન કર્યું.

જુઓ અંગદાનથી બે પરિવારો વચ્ચે બંધાયેલા સ્નેહના તંતુની હૃદયસ્પર્શી કહાણી...