ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે મતભેદો કેમ પેદા થયા છે?

ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે મતભેદો કેમ પેદા થયા છે?
પ્રકાશિત

તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં નેતન્યાહૂની ટીકા કરી હતી અને ત્યારબાદ ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ઇઝરાયલના નેતાઓને અમેરિકા પર મૌખિક હુમલાઓથી દૂર રહેવા સલાહ આપી હતી.

આ નિવેદનો પછી પહેલીવાર નેતન્યાહૂએ ટ્રમ્પ સાથેના તેમના સંબંધો અંગે જાહેર નિવેદન આપ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે 'સમગ્ર વિસ્તારનો નાશ કરવો એ સમજદારી નથી.'

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે લોકો એવું સમજે છે કે તેઓ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાના કહ્યા પ્રમાણે કામ કરે છે, જ્યારે એવું નથી. નેતન્યાહૂએ જણાવ્યું છે કે તેઓ અમેરિકાની દરેક ઇચ્છા પ્રમાણે કામ કરતા નથી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ દ્વારા જાહેરમાં તેમની ટીકા કરવામાં આવ્યા બાદ નેતન્યાહૂનું આ નિવેદન આવ્યું છે.

નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ ઈરાનને પરમાણુ શસ્ત્રો હાંસલ કરવા દેશે નહીં અને જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી ઇઝરાયલની સેના દક્ષિણ લેબનોનમાં હાજર રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન