You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના ખેડૂતો તૂટેલા આંબાને કેવી રીતે ફરી ઊભા કરી રહ્યા છે?
પ્રકાશિત
તૌકતે વાવાઝોડાને લીધે તબાહ થયેલા આંબા સહિતનાં વૃક્ષોને નવજીવન આપવામાં આવી રહ્યું છે.
વાવાઝોડાને કારણે ખેડૂતોના કેરીના પાકનું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ક્યાંક આંબાઓ તૂટી પડ્યાં છે તો ક્યાંક ઝાડ પરથી કેરીનો સમગ્ર પાક જમીનદોસ્ત થઈ ગયો છે.
પણ ખેડૂતોને વૃક્ષોને નવજીવન આપવાની પ્રદ્ધતિથી આશા જાગી છે.
ગીર-ગઢડા અને કોડિનાર વિસ્તારના ખેડૂતો તબાહ થયેલાં વૃક્ષોને ફરીથી ઉગાડી રહ્યા છે.
વૃક્ષો ઉગાડવાની આ પદ્ધતિ ખેડૂતો માટે કારગત સાબિત થઈ રહી છે.
વીડિયો : ફારુક કાદરી
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો