અમરેલીનું એ ગામ જ્યાં ભૂકંપના ભયથી લોકો રાતે ઘરબહાર ઊંઘે છે
પ્રકાશિત
ગુજરાતના અમરેલી જિલ્લાના મીતિયાળા ગામના લોકો સતત ભયમાં જીવે છે.
આ ગામના લોકો ભયમાં આખી રાત પહેરો ભરે છે અને ઘણી વખત તો અહીં ગામના બધા લોકો આખી રાત બહાર ખુલ્લામાં ઊંઘે છે. એની પાછળનું કારણ એ છે કે અહીં બે વર્ષમાં લગભગ 400 ભૂકંપના આંચકા આવી ગયા છે.
મહદંશે આ ભૂકંપના આંચકા અમરેલીના સાવરકુંડલા પાસે આવેલા મીતિયાળા ગામમાં આવ્યા હતા.
અવારનવાર અહીં ભૂકંપના આંચકા કેમ આવે છે? જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
