You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરવિંદ કેજરીવાલ : ગુજરાતમાં લાગેલાં આપવિરોધી પોસ્ટર્સને લઈને વિવાદ કેમ થયો?
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતાને લઈને રાજકારણ ગરમાયું છે.
આ દૃશ્યો વડોદરાનાં છે, જ્યાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માનના રોડ શો પહેલાં ભાજપ સમર્થકોએ હલ્લો બોલાવ્યો હતો.
ભાજપના સમર્થકો કેજરીવાલના એ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે, જેમાં તેમણે કથિત રીતે હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરી હોવાનો દાવો છે.
આપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ માટે ભાજપને જવાબદાર ઠેરવે છે, તો ભાજપ આ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સને આપની હિન્દુવિરોધી માનસિકતા ગણાવે છે અને તેની વિરુદ્ધ હિન્દુ સમાજનો આક્રોશ યોગ્ય હોવાનું કહે છે.
આ પોસ્ટર વિવાદ મામલે વડોદરાની રેલીમાં અરવિંદ કેજરીવાલે પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો