રાજકોટ : પુત્રનું મૃત્યુ થતાં દીકરો દત્તક લીધો અને પુત્રવધૂનો સંસાર ફરી માંડ્યો
પ્રકાશિત
રાજકોટમાં એક પરિવારે એવું કામ કર્યું છે જેની વાહવાહી થઈ રહી છે. દીકરો ગુમાવ્યા બાદ દીકરો દત્તક લઈને વાજતેગાજતે એની સાથે પુત્રવધૂનાં લગ્ન કરાવ્યાં.
રાજકોટમાં રહેતા અને કિચનવેરના બિઝનેસ સાથે જોડાયેલા ચંદુભાઈ કોટડિયા અને તેમના પુત્ર સમ્રાટનું કોરોના વાયરસને કારણે મૃત્યુ થયું હતું.
ઘરમાં બંને મોભીનું મૃત્યુ થતાં પરિવારના માથે આભ તૂટી પડ્યું. યુવાન પુત્ર પાછળ પત્ની અને બે સંતાનો છોડી ગયો હતો.
સાસુ મિતાબહેન કોટડિયાએ પુત્રવધુનો ફરી સંસાર માંડવા માટે પુત્ર દત્તક લીધો.
સમગ્ર કહાની જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
