જહાંગીર બાદશાહ પાસેથી નિઝામ સુધી પહોંચેલો 12 કિલોનો સોનાનો સિક્કો હવે ક્યાં છે?

પ્રકાશિત

નિઝામના કબજામાં રહેલા વિશાળકાય સિક્કાની પ્રતિકૃતિનું હૈદરાબાદના મિન્ટ કમ્પાઉન્ડમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

મુઘલ શાસક જહાંગીર જેમણે 1605થી 1627 દરમિયાન ભારત પર રાજ કર્યું તેમણે આ વિશાળ સોનાનો સિક્કો બનાવવાના આદેશ આપ્યા હતા.

આ સિક્કાનું વજન લગભગ 12 કિલો બતાવાઈ રહ્યું છે.

12 કિલો વજન ધરાવતા આ સિક્કાનું નામ કૌકબ-ઈ-તાલી છે.

તેનો મતલબ થાય ઊગતો સિતારો. આવા કેટલા સિક્કા અસ્તિત્તવ ધરાવે છે તેને લઈને ઇતિહાસકારોમાં કોઈ સર્વસંમતિ નથી.

એક સિક્કો જહાંગીર દ્વારા ઈરાનના રાજદૂત યાદગીર અલીને ભેટમાં અપાયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો