ઉદયપુરમાં હત્યાને નજરે જોનારા વ્યક્તિએ જણાવી સમગ્ર ઘટના

પ્રકાશિત

રાજસ્થાન પોલીસના અધિકારીઓનું કહેવું છે કે ઉદયપુર શહેરમાં મંગળવારે બપોરે એક દરજીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને કહેવામાં આવ્યું છે કે તપાસમાં જે લોકોનાં નામ સામે આવશે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.

વિપક્ષે આ ઘટનાને પોલીસની નિષ્ફળતા ગણાવી છે અને કહ્યું છે કે મૃતક કનૈયાલાલે ખુદને મળી રહેલી ધમકી વિશે પોલીસને કહ્યું હતું. જ્યારે પોલીસનું કહેવું છે કે આ વિશે કનૈયાલાલ અને તેમને ધમકી આપનારા લોકો વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો