You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ પર મોંઘવારીનું સંકટ કેવી રીતે લોકોનાં જીવન પર ભારે પડી રહ્યું છે?
પહેલા કોરોના વાઇરસ, પછી રશિયા-યુક્રેન યુદ્ધ અને હવે તપતી ગરમીને કારણે ઓછો ઊતરેલો પાક, આ ત્રણ મુખ્ય કારણોને લઈને દુનિયામાં મોંધવારીનું સંકટ ઊભું થયું છે.
માત્ર ઈંધણ, ઊર્જા અને ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવોમાં જ નહીં પણ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ એટલો વધારો થયો છે કે સામાન્ય લોકોના જીવન પર તેની અસર જોવા મળી રહી છે.
ખિસ્સા પર એટલો બોજો પડ્યો છે કે લોકોએ ક્યાંક તો ખર્ચ કરવાનું ઓછું કરી દીધું છે ક્યાંક બંધ કરવું પડ્યું છે. ગરીબોને તો બે ટંક ભોજનના પણ ફાંફા છે ત્યારે કૂદકેને ભૂસકે વધી રહેલી મોંધવારી વચ્ચે લોકોનો જીવનનિર્વાહ કેટલો મુશ્કેલ બન્યો છે?
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો