માતાપિતાનાં મૃત્યુ બાદ બાળકોની જવાબદારી રાજકોટના દાદીએ લીધી, બિઝનેસ કરી કરે છે સંતાનોને પગભર
પ્રકાશિત
રાજકોટમાં રહેતાં 70 વર્ષીય અરુણા મહેતા પોતાનાં પૌત્ર અને પૌત્રીના ઉછેર માટે ફરસાણ બનાવી વેચે છે.
એક સમયે આફ્રિકામાં રહીને વૈભવી જીવન જીવતાં અરુણા મહેતાની જિંદગીમાં પલટો આવ્યો અને તેમણે પરિવારના ત્રણ સભ્યોને ગુમાવ્યા. આજે તેઓ એકલા હાથે પૌત્ર અને પૌત્રીનું ભરણપોષણ કરી રહ્યાં છે.
કોઈ પણ ફરિયાદ કર્યા વગર પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરી તેઓ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે. જુઓ તેમની કહાણી વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો