શાકભાજી વેચતાં માતાપિતાની દીકરી અંકિતા નાગરની જજ બનવાની કહાણી
પ્રકાશિત
મધ્ય પ્રદેશના ઇન્દોરનાં અંકિતા નાગર થોડા સમય પહેલાં સુધી પોતાનાં માતાપિતા સાથે શાકભાજી વેચતાં હતાં અને હવે સિવિલ જજ બની ગયાં છે.
અંકિતાએ પોતાનું આ સપનું પૂરું કરવા માટે સખત મહેનત કરી છે. તેમણે ચોથા પ્રયાસમાં સિવિલ જજની પરીક્ષા પાસ કરી છે.
તેમણે જજ બનવાનું કેમ નક્કી કર્યું તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે. અંકિતાનું આ સપનું પૂરું કરવામાં તેમનાં માતાપિતાએ પણ ઘણો સંઘર્ષ કર્યો છે.
આવો જોઈએ શાકભાજીની લારીથી સિવિલ જજ બનવા સુધીની અંકિતાની સફર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો